ભારત પ્રવાસે આવેલા વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ મલપાસે શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમઓ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જો કે પીએમઓ દ્વારા બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તે અંગેની જાણકારી આપી નથી.
વર્લ્ડ બેંકના અધ્યક્ષ ભારતની મુલાકાતે
ડેવિડ મલપાસે પીએમ મોદી સાથે કરી મુલાકાત
97 પરિયોજનાઓ પૂરી કરવા આર્થિક મદદનું આપ્યું વચન
વર્લ્ડબેંકના પ્રમુખે ભારત મુલાકાત પહેલા કહી હતી આ વાત
વર્લ્ડબેંકના પ્રમુખ ડેવિડ મલપાસે ભારતની મુલાકાત અગાઉ જણાવ્યું હતું કે તેઓ ભારત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી નાણાંકીય ક્ષેત્રમાં આવી રહેલા પડકાર પર ચર્ચા કરશે જેમાં પ્રગતિ કરી શકાય તેમ છે, જેના કારણે ભારત વધુ ઝડપથી વિકાસ કરી શકશે.
વર્લ્ડ બેંકે એકવાર ફરી દેશમાં ચાલી રહેલી 97 પરિયોજનાઓને પૂરા કરવા માટે આર્થિક મદદ કરવાનું વચન ફરી જણાવ્યું છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસે શનિવારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંક આ પરિયોજનાઓ માટે ભારતને 24 અરબડોલર ઉપલ્બધ કરવા કટિબદ્ધ છે.
મીડિયા સાથેની વાતચીતમાં વર્લ્ડબેંકના અધ્યક્ષે જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ જારી રહેશે અને ભારતમાં ચાલી રહેલી પરિયોજનાઓમાં સુધારો જોવા મળશે. મલપાસે જણાવ્યું કે આ મદદ 5 થી 6 અરબ ડોલર પ્રતિવર્ષ રહેશે. ઉલ્લેખનીય છેકે વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસ હાલ ભારતની મુલાકાતે આવી પહોંચ્યાં છે. આ અગાઉ તેમણે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી નાણાંકીય ક્ષેત્રના અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.