કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાકિસ્તાનમાં જતું પાણી પર રોક મુકવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, સિંધુ જળ સંધિ સિવાય જેટલું પાણી પાકિસ્તાનમાં જઇ રહ્યું છે તે અટકાવવામાં આવશે.
સિંધુ જળ સંધિ સિવાયનું પાણી પાકિસ્તાનને નહીં મળે : મંત્રી ગજેન્દ્ર શેખાવત
જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતે વધુમાં જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જે સિંધુ જળ સંધિ થઇ છે. તે સિવાયનું ભારતની નદીઓના હિસ્સાનું પાણી પાકિસ્તાનમાં વહીને જઇ રહ્યું છે તેને હવે અટકાવવામાં આવશે.
શેખાવતે કહ્યું કે, 'આપણે ખેડૂતો માટે પાણીનો ઉપયોગ કરવા, આપણા દેશમાં વીજળી ઉત્પન્ન કરવા અને આપણા દેશના નાગરિકો માટે પીવા માટેના અમારા હકના પાણીનો ઉપયોગ કરીશું. મને લાગે છે કે આ અંગે કોઈને વાંધો ન હોવો જોઈએ. ઉપરાંત, તેના પર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ ઉભો ન થવો જોઈએ.
Stopping water to Pakistan is priority: Jal Shakti Minister
તેમણે કહ્યું કે, જળ શક્તિ મંત્રાલય આ મુદ્દાની જટીલતાને જોઇ રહ્યું છે અને ઝડપથી આ બાબત અંગેનું નિરાકરણ લાવવામાં આવશે. આ સાથે જ પાકિસ્તાનમાં જનારા પાણીને રોકીને તેનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરાશે.
શેખાવતે કહ્યું કે, જે પાણી પાકિસ્તાન જઇ રહ્યું તેનો ઉપયોગ હવે ભારતમાં ખેતી અને વીજળી ઉત્યાદન માટે કરવામાં આવશે. જેનાથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને અન્ય રાજ્યના લોકોને રોકવામાં આવેલા પાણીથી ફાયદો થશે.
કલમ 370 નાબૂદી અંગે આપ્યો જવાબ
આ ઉપરાંત ગજેન્દ્રસિંહ શેખાવતે પણ કલમ 370 નાબૂદ કરવા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દીધી છે અને આ ભારતનો આંતરિક મુદ્દો છે. જેમાં પાકિસ્તાને કોઇ પણ પ્રકારની દખલ કરવાની જરૂર નથી.
ભારતને કોઇ નબળું ન સમજે
વધુમાં તેમણે કહ્યું કે, ઉરીની ઘટના બાદ સર્જીકલ સ્ટ્રાઇક અને પુલવામાં પછી એર સ્ટ્રાઇક કરીને ભારતે બતાવી દીધું કે, તેને કોઇ નબળું ના સમજે. મોદી સરકારમાં ભારતની જનતાને મળતા તમામ કોઇ અન્યને આપવામાં આવતા નથી.