વધતા પ્રદૂષણને જોતા હવે ઇલેક્ટ્રિક વાહનો પર સરકાર વધારે દબાણ આપી રહી છે જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબ્સિડી પણ આપવામાં આવી રહી છે. દેશની કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નીતિ આયોગે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દરેક રાજ્યોને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપવાનો નિર્દેશ આપ્યો છે. હવે દેશમાં જલ્દી ઇલેક્ટ્રોનિક વાહનોના રજિસ્ટ્રેશન અને રસ્તા પર ચાર્જિંગ સ્ટેશનને વધારી દેવામાં આવશે. પીએમઓ દ્વારા નીચિ આયોગની આ યોજનાને મંજૂરી મળી ગઇ છે. રાજ્ય નીતિ આયોગના નિર્દેશોનું પાલન કરશો તો 15 મીનિટમાં 30 રૂપિયાના ચાર્જિંગ પર 22 કિમીની સફર કરી શકાશે.
કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે જેના માટે ઘણી યોજનાઓ પર કામ થઇ રહ્યું છે. રાજધાની દિલ્હી સરકાર પણ વધારેમાં વધારે વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે સિસ્ટમ બનાવી રહી છે. આ યોજનાથી પણ 30 રૂપિયાના ટોપઅપથી 22 કિમી સુધીનું અંતર કાપી શકાય છે. ચાર્જિંગ સમયની વાત કરવામાં આવે તો ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 15 મિનીટમાં કારને ચાર્જ કરી શકાશે.
એનર્જી એફિસિએન્સ સર્વિસના એમડીએ જણાવ્યું કે દિલ્હીના ઘણા બધા વિસ્તારોમાં પાર્કિંગ વાળી જગ્યાઓ પર જ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આવી રીતે લોકોને જેટલા વધારે ચાર્જિંગ સ્ટેશન દેખાશે એટલું વધારે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું મન કરશે. મળતી જાણકારી અનુસાર અહીંયા જો કોઇ કારને ફુલ ચાર્જ કરવી હશે તો એના માટે 90 મિનીટનો સમય લાગશે.