હિંમતનગરમાં ભાજપનો પેજ સમિતિ સંવાદનો કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ધારાસભ્યોને ટિકિટ મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન
100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે
ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં
સાબરકાંઠા હિંમતનગરમાં ભાજપનો પેજ સમિતિ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મહત્વનું નિવેદન કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છીએ, હાલ ભાજપ સરકારે 98માંથી 97 સહકારની સંસ્થાઓમાં જીત મેળવી છે ત્યારે આગામી સમયમાં પણ વિધાનસભા ચૂંટણીમાં 182 સીટમાં જીત મળશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.
100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે
આપને જણાવી દઈએ કે આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે ,ધારાસભ્યોનું ઉપરથી નક્કી થાય છે, હું કોઈને કાપી શકુ નહીં કે કોઈને આપી શકું નહીં, ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. ધારાસભ્યોની ટિકિટ વહેંચણી મુદ્દે સી.આર. પાટીલના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં
મહત્વનું છે કે રાજ્યમાં આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, તમામ ક્ષેત્રે સંગઠનથી લઈને કાર્યકરો, મંત્રી મંડળથી લઈને સરકાર સુધી હાલ બદલાવ લાવવામાં આવ્યા છે. ત્યારે સી.આર. પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી જીતનો દાવો વ્યક્ત કરી દીધો છે. તેમણે વિરોધ પક્ષને લઈને કહ્યું કે વિરોધ પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા રહે છે, પરતું ભાજપનું લક્ષ્ય છેવાડાના વ્યક્તિને મદદ રૂપ થવાનું છે, પેજ સમિતિના કાર્યક્રમમાં ધારાસભ્યો મુદ્દે કરેલા નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.