પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેંકને લઇને વિવાદ ગહેરાતો જોવા મળી રહ્યો છે. બેંક પર લગાવામાં આવેલા પ્રતિબંધથી નારાજ ખાતાધારકોએ આજે મુંબઇ ખાતેના ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદ સમયે ખાતાધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું.
PMC બેંક ખાતાધારકોએ કર્યું વિરોધ પ્રદર્શન
RBI સમગ્ર મામલાને જોઇ રહ્યું છે
સરકારને આ મામલે કોઇ લેવાદેવા નથી
નિર્મલા સીતારમણે ખાતાધારકોને આપ્યું આ નિવેદન
ખાતા ધારકોના વિરોધ પ્રદર્શન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મુલાકાત કરતાં મદદ આપવાનું આશ્વાસન આપ્યું. નિર્મલા સીતારમણે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજતાં કહ્યું કે નાણા મંત્રાલયને આ મુદ્દે કોઇ લેવા દેવા નથી. આ મામલાને RBI જોઇ રહ્યું છે.
FM: Finance Ministry may have nothing to do with it (PMC bank matter) directly because RBI is the regulator. But from my side, I've asked the secretaries of my ministry to work with Rural Development Ministry & Urban Development Ministry to study in detail as to what is happening pic.twitter.com/DyKhXJfiqk
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે આવી ઘટનાને રોકવાની દિશા તરફ કામ કરી રહ્યાં છે. જો જરૂરીયાત લાગશે તો અમે એક્ટમાં ફેરફાર કરીશું, પરંતુ અત્યારે આ ફેરફારને લઇને કંઇ વધારે કહી શકાય નહીં.
ખાતાધારકો નાણામંત્રીના આશ્વાસાનથી થયા નારાજ
જો કે PMC બેંકના ખાતાધારકોએ નાણામંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે તેઓ નાણામંત્રીના જવાબથી સંતુષ્ટ નથી. ખાતાધારકોએ જણાવ્યું કે નિર્મલા સીતારમણે અને કોઇ મજબૂત ખાતરી આપી નથી.