Will schools start again? The National Education Federation made a presentation to the Minister of Education on the issue of starting a school, saying call in Odd-Even
'ગણ'તર /
ફરી સ્કૂલો થશે શરૂ? રાષ્ટ્રીય શૈક્ષિક સંધે શાળા શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીને કરી રજૂઆત, કહ્યું ઓડ-ઇવનમાં બોલાવો
Team VTV07:34 PM, 24 Jan 22
| Updated: 07:40 PM, 24 Jan 22
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની માંગ.'જ્યાં સુધી શાળાઓની સ્થિતિ આવી છે ત્યાં સુધી સ્કૂલમાં ઓડ ઇવન પદ્ધતિથી શિક્ષકો પાસે કામ લેવામાં આવે' બીજું શિક્ષકોનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધે
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રી ,મુખ્ય મંત્રીને પત્ર
શિક્ષકો પાસે ઓડ-ઇવન પદ્ધતિથી કામ લેવામાં આવે
શિક્ષકોનું મોંઘવારી ભથ્થુ 28 ટકાથી વધારી 31 ટકા માટે માંગ
રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ( ધો.8 /9 સુધીની )શાળાઓ કોરોનાની સંભવત ત્રીજી લહેર અને ઓમિક્રોનની દહેશત વચ્ચે બંધ છે. હાલ તો રાજ્ય સરકારે આગામી સપ્તાહના અંત સુધી શૈક્ષણિક કાર્ય ઓન લાઈન ચાલુ રાખવાનું ઠરાવ્યું છે. ત્યારે, આગામી સપ્તાહ બાદ રાજ્ય સરકાર નવી માર્ગ દર્શિકા આપશે . દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. સંઘે માંગ કરી છે કે, જ્યાં સુધી શાળાઓની સ્થિતિ આવી છે ત્યાં સુધી સ્કૂલમાં ઓડ ઇવન પદ્ધતિથી શિક્ષકો પાસે કામ લેવામાં આવે. જ્યારે વિદ્યાર્થીની હાજરી જ જરૂરી નથી ત્યારે સ્ટાફને કામગીરી માટે છૂટ આપવા માટે માંગ કરી છે. આ ઉપરાંત સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની પણ માંગ કરી છે.
મુખ્યમંત્રીને પત્ર
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અન્ય એક પત્ર મુખ્યમંત્રીને પણ પાઠવ્યો છે. જેમાં શિક્ષકોને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માંગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષકો માટે મોંઘવારી ભથ્થુ 28 ટકાથી વધારી 31 ટકા કરવામાં આવ્યુ છે તે પ્રમાણે રાજ્ય સરકારના શિક્ષકો માટે પણ ભથ્થામાં 3 કરાનો વધારો કરી 31 ટકા કરવા શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે.