દેશમાં જલ્દી જ કોરોના વેક્સીનેશનનું કામ શરુ થવા જઇ રહ્યું છે, તે પહેલા નિવેદનો સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કહ્યું કે તેઓએ નક્કી કર્યું છે કે તેઓ હાલમાં કોરોનાની વેક્સીન લગાવશે નહીં. શિવરાજ સિંહે કહ્યું કે પહેલા જે ગ્રુપને નક્કી કર્યું છે તેઓને વેક્સીન લગાવામાં આવશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'કોરોના વેક્સીનને લઇને તૈયારીઓ ચાલી રહી છે. મે નક્કી કર્યું છે કે વેક્સીન અત્યારે લગાવીશ નહીં, પહેલા બાકી લોકોને લાગે અને પછી પોતાનો નંબર આવે. જેઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, તેઓને લાગી જાય અને પછી મારો નંબર આવે.'
मध्यप्रदेश के समस्त ज़िले #COVID19 वैक्सिनेशन के लिए तैयार हैं। सभी प्रकार की व्यवस्थाएँ कर ली गई हैं।
मैंने निर्णय लिया है कि मैं अभी वैक्सीन नहीं लगवाऊंगा। पहले हम प्रायॉरिटी ग्रुप्स का वैक्सिनेशन सुनिश्चित करेंगे और बाद में मेरा वैक्सिनेशन होगा।
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સીનને લઇને કેટલીક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. તેના અનુસાર કોરોના વેક્સીનની શરુઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રંટલાઇન વર્કર, 50થી વધારે ઉંમરવાળા લોકો અને ગંભીર બીમારીવાળા લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારની પ્રાથમિકતા અનુસાર શરુઆતમાં 30 કરોડ લોકોને વેક્સીન લગાવા અંગે વાત કરવામાં આવી રહી છે.
દેશમાં અત્યારે બે કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સીરમ ઇન્સ્ટીટયૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. હવે જલ્દી જ દેશવ્યાપી વેક્સીનેશનનો પ્રોગ્રામ પણ શરુ થઇ જશે.
જો કે સતત વેક્સીનને લગાવા તેમજ ના લગાવા પર નિવેદન આવી રહ્યાં છે. ગત દિવસોમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ એલાન કર્યું હતુ કે તેઓ વેક્સીન નહી લગાવે. જો કે તેઓએ કહ્યું હતું કે તેઓ ભાજપની વેક્સીન નહી લગાવે, તેના પર તેઓને ભરો નથી. જ્યારે તેઓની સરકાર આવશે, ત્યારે બધાને વેક્સીન મફતમાં લગાવામાં આવશે.
हमें वैज्ञानिकों की दक्षता पर पूरा भरोसा है पर भाजपा की ताली-थाली वाली अवैज्ञानिक सोच व भाजपा सरकार की वैक्सीन लगवाने की उस चिकित्सा व्यवस्था पर भरोसा नहीं है, जो कोरोनाकाल में ठप्प-सी पड़ी रही है।