દિલ્હીની એક કોર્ટે બુધવારના રોજ CBI ને પૂછ્યું કે એજન્સીએ પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાનાનો મનોવૈજ્ઞાનિક તેમજ લાઇ ડિટેક્ટ પરીક્ષણ કેમ કરાવાયું નહીં? ઉલ્લેખનીય છે કે લાંચના એક મામલામાં હાલમાં રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપવામાં આવી છે. આ સાથે જ સીબીઆઇએ વિશેષ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે પ્રારંભિક તપાસ કરનારા અધિકારી અજય કુમાર બસ્સીને 28 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં પેશ થવા નિર્દેશ કર્યો છે.
લાંચના એક કેસમાં હાલમાં રાકેશ અસ્થાનેને ક્લીન ચીટ આપવામાં આવી હતી
રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટ પરીક્ષણ કેમ કરાવાયું નહીં
CBI ની તપાસ પર કોર્ટે ગત અઠવાડિયે નારાજગી વ્યક્તિ કરી હતી
આ મામલે CBI ની તપાસ પર કોર્ટે ગત અઠવાડિયે નારાજગી વ્યક્તિ કરી હતી અને પૂછ્યું હતું કે જે આરોપીઓની મોટી ભૂમિકા છે તેઓ ખુલ્લેઆમ કેમ ફરી રહ્યાં છે જ્યારે એજન્સી પોતાના DSP ની ધરપકડ કરી ચૂકી છે.
CBI એ અસ્થાના અને DSP દેવેન્દ્ર કુમારની 2018માં ધરપકડ કરી હતી પરંતુ ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવ્યાં હતા. બંનેને આ મામલે આરોપી બનાવવા માટે પર્યાપ્ત પુરાવા ન હોવાના કારણે તેમના નામ આરોપપત્રના કોલમ 12 માં લખવામાં આવી હતી.
CBI એ હેદરાબાદના વેપારી સતીશ સનાની ફરિયાદના આધારે અસ્થાનાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મીટ વેપારી મોઇન કુરેશી વિરુદ્ધ 2017 ના મામલે સના પર પણ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોર્ટે CBI ના પૂર્વ નિદેશક રાકેશ અસ્થાનાની સામેલગીરીવાળા ભ્રષ્ટાચાર મામલામાં CBI ની તપાસ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટ જાણવા ઇચ્છતી હતી કે આરોપી જેની મામલામાં મોટી ભૂમિકા છે, સ્વતંત્ર કેમ ફરી રહ્યાં છે જ્યારે સીબીઆઇના પોતાના ડીએસપીની ધરપકડ કરાઇ.
CBI vs CBI alleged graft case: Court while adjourning the hearing for 28th February directs the then investigating officer, Ajay Kumar Bassi to appear before the Court on the next date of hearing to explain the case diary maintained by him during his investigation period. https://t.co/9I2QLQOwjz