પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઇ રહ્યો નથી. શનિવારે ઉત્તરપ્રદેશના ઔરેયામાં 25 લોકોના રોડ અકસ્માતમાં મોત થયા બાદ મધ્ય પ્રદેશના બડવાનીમાં અકસ્માતમાં એક મજૂરનું મોત થઇ ગયું. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. આમ છતા નિરાધાર મજૂરોનો પગપાળા જ પોતાના રાજ્યો તરફ જવાનો સિલસિલો ખતમ થઇ રહ્યો નથી.
શનિવારે ઉત્તરપ્રદેશના ઔરેયામાં 25 લોકોના રોડ અકસ્માતમાં મોત થયા હતા
લૉકડાઉનને કારણે બે મહીનાઓથી કામ ઠપ, દેવુ વધી જવાથી મજૂરો ઘરે જવા મજબુર બન્યા
લૉકડાઉનમાં કામ બંધ થયા બાદ દિલ્હીમાં કામ કરનારા મજૂરો યુપીના પોતાના વતન તરફ પાછા જવા માંગે છે. પરંતુ દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર ગાજિયાબાદ પોલીસ તેમને પાછી મોકલી રહી છે. એક પરિવાર દિલ્હીના મંડાવલી વિસ્તારમાં રહેતો હતો, પરંતુ સ્થિતિ એવી બદતર બની ગઇ કે આખો પરિવાર ટીકમગઢ જવા નીકળી પડ્યો. સાથે 15 દિવસની બાળકી અને ઘરનો સામાન પણ છે.
આ પરિવારમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે. એક તરફ સરકાર કહી રહી છે કે દિલ્હીમાં મજૂરોને પુરતુ ભોજન મળી રહ્યું છે. જ્યારે પરિવારજનોનું કહેવું છે કે જો ભોજન મળી રહ્યું હોત તો દિલ્હીથી પોતાના ઘરે પગપાળા કેમ નીકળતા? હાથમાં ઘરનો સામાન લઇને ખોળામાં 15 દિવસની બાળકીને લઇને આ પરિવાર હંમેશા માટે દિલ્હી છોડીને જવા ઇચ્છે છે. પરિવારે જણાવ્યું કે લૉકડાઉનને કારણે બે મહીનાઓથી કામ ઠપ છે. દેવુ વધી ગયું છે, પૈસા ક્યાંથી લાવીએ. આથી ઘરે પરત જઇ રહ્યા છીએ, જિંદગી ચાલતી રહે.
આતો થઇ એક પરિવારની વાત, પરંતુ આવા તો કેટલાય પરિવારો છે. કોઇ ઉત્તરપ્રદેશ જઇ રહ્યું છે તો કોઇ બિહાર, પરંતુ સૌની સમસ્યા સરખી છે. રોજગાર ખતમ થઇ ગયો તો ઘરબાર પણ ખતમ, જ્યારે ઘરે પરત જવાનો કોઇ રસ્તો નથી દેખાઇ રહ્યો તો પત્ની-બાળકો સાથે ઘરે જવા રવાના થઇ ગયા.
ઉત્તર પ્રદેશના ઘસીટા અને તેમની પત્ની સપના પાનીપતમાં મજૂરી કરતા હતા પરંતુ હવે સ્થિતિ ખુબજ દયનીય બની છે. તેમના જેવા ઘણા લોકો પાસે હવે પરિવારનું પેટ ભરવા માટે બે ટાઇમના ભોજન માટે પણ પૈસા નથી. હાલ તે ગાજીપુર બોર્ડર પર ફસાયેલા છે કેમકે પોલીસ તેમને રાજ્યમાં દાખલ થવા દઇ રહી નથી.
ઉત્તરપ્રદેશમાં ઔરેયામાં અકસ્માત બાદ સીએમ યોગીએ અધિકારીઓેને પ્રવાસી મજૂરોના પગપાળા ઘરે જવા પર રોક લગાવવા કહ્યું છે. એક આદેશમાં તેઓએ કહ્યું કે કોઇપણ પ્રવાસી નાગરિકોને પગપાળા, ગેરકાયદેસર રીતે અને જોખમી રીતે ગાડીઓમાં યાત્રા કરવા દેવામાં ન આવે.
તેઓએ કહ્યું કે પ્રવાસીઓ માટે દરેક બોર્ડરના જિલ્લાઓ પર 200 બસોની વ્યવસ્થા કરાઇ છે. અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 449 ટ્રેન જઇ ચૂકી છે. જે આખા દેશમાં સૌથી વધારે છે. આ ટ્રેનો મારફતે અત્યાર સુધીમાં 5 લાખ 64 હજાર લોકો યાત્રા કરી ચૂક્યા છે. શનિવારે 75 ટ્રેન આવશે, જ્યારે 286 વધુ ટ્રેનોના સંચાલનને મંજૂરી અપાઇ છે.