BCCIએ જસપ્રીત બુમરાહને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે છતાં પણ તેને A+ કેટેગરીમાં રાખી મૂક્યો છે એ જોઈને લોકોએ BCCIને સવાલો પૂછ્યા છે.
બુમરાહને A+ કેટેગરીમાં જોઈને લોકો ગુસ્સે
લોકોએ BCCIને સવાલો પૂછ્યા
બુમરાહે લગભગ છ મહિનાથી કોઈપણ મેચ રમી નથી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે જેમાં બોર્ડે જસપ્રીત બુમરાહને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે તેને A+ કેટેગરીમાં રાખી મૂક્યો છે. જો કે બુમરાહને A+ કેટેગરીમાં જોઈને લોકોએ BCCIને સવાલો પૂછ્યા છે. કારણ કે બુમરાહે લગભગ છ મહિનાથી કોઈપણ મેચ રમી નથી.
બુમરાહને A+ કેટેગરીમાં જોઈને લોકો ગુસ્સે
જણાવી દઈએ કે હાલમાં જ ન્યુઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી કરવામાં આવી હતી જોકે હવે તે ભારત પરત ફર્યો છે અને રિહેબ કરી રહ્યો છે. આ સાથે જ જસપ્રીત બુમરાહ IPL 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો છે અને 2023ના વર્લ્ડ કપમાંથી પણ બહાર થવાનો ખતરો છે. આવી સ્થિતિમાં બુમરાહને A+ કેટેગરીમાં જોઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
છ મહિનાથી નથી રમી એક પણ મેચ
જસપ્રીત બુમરાહે સપ્ટેમ્બર 2022માં ભારત માટે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને એ બાદ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 મેચમાં તેની પીઠની ઈજા ફરી સામે આવી હતી જેના કારણે તે T20 વર્લ્ડ કપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારથી બુમરાહ ટીમ ઈન્ડિયા માટે કોઈપણ શ્રેણીમાં રમી શક્યો નથી અને લગભગ 6 મહિનાથી ટીમની બહાર છે.
ફેન્સ થાય ગુસ્સે
BCCIની વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ કેટેગરીમાં જસપ્રીત બુમરાહને જોઈને ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા અને આ માટે ફેન્સે બોર્ડ પર સવાલો ઉઠાવ્યા છે. કેટલાક ક્રિકેટ ચાહકોનું કહેવું છે કે બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે તો શા માટે A+ કેટેગરીમાં છે? ટીમ ઈન્ડિયામાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમને A+ કેટેગરીમાં સામેલ કરી શકાયા હોત.
A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટની આ યાદીમાં કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એ સાથે જ રવિન્દ્ર જાડેજાને આ લિસ્ટમાં જગ્યા મળી છે જેથી A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ચાર ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે.
હાર્દિક-અક્ષરને પણ પ્રમોટ કરવામાં આવ્યા હતા
નોંધનીય છે કે હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલનો ગ્રેડ Aમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા અક્ષર પટેલ બી ગ્રેડમાં અને હાર્દિક પંડ્યા સી ગ્રેડમાં હતો પણ હવે તેને પ્રમોટ કરીને ગ્રેડ Aમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સાથે જ ગ્રેડ Bમાં બેટ્સમેન ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વખતે શુભમન ગિલને પણ પ્રમોટ કરવામાં આવ્યો છે. B ગ્રેડમાં સામેલ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળવાના છે.
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 - Team India (Senior Men).
આ ખેલાડીઓને મળી કોન્ટ્રાક્ટ લિસ્ટમાં તો આમને કરવામાં આવ્યા બહાર
ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરત ગ્રેડ Cનો ભાગ છે અને તેમને 1 કરોડ રૂપિયા મળશે. આ સાથે જ ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલી વખત કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
સાથે જ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સિઝનમાં બી ગ્રેડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચહરને પણ બહાર કરવામાં આવ્યા છે.
એટલે કે જોવામાં આવે તો આ વખતે A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓ, Aમાં પાંચ, ગ્રેડ Bમાં છ અને ગ્રેડ Cમાં 11 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.