રાજસ્થાનના મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હવે હિમાચલની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેમ્પિયન ઓછું કરી દેશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ-AAP પર કર્યા પ્રહાર
અશોક ગેહલોતે AAPને ભાજપની બી ટીમ ગણાવી
AAP પાર્ટી ભાજપના ઈશારે કામ કરે છે-અશોક ગેહલોત
શરૂઆતમાં સારી રીતે પ્રચાર કર્યા પછી AAP શાંત કેમ થઈ-ગેહલોત
ચૂંટણીનો ખૂબ સારો માહોલ છે, પરિણામ પણ ચોંકાવનારા આવશે-ગેહલોત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. અશોક ગેહલોતે ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીનો ખૂબ સારો માહોલ છે અને પરિણામ પણ ચોકાવનારા આવશે. ભાજપ એટલી ડરી ગઈ છે કે પોતાના હેડક્વાર્ટર માં પણ અમિત શાહ મિટિંગ નથી કરી શકતા. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હવે હિમાચલની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેમ્પિયન ઓછું કરી દેશે.
વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ રાજકીય નેતાઓ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે ગુજરાત ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશે. કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી પણ સારી રીતે થઈ ગઈ છે. 21 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બીજા પણ પ્રોગ્રામો થશે.
શું કહ્યું અશોક ગેહલોતે ?
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. તેમણે કહ્યું કે, હવે હિમાચલ પ્રદેશની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ કેમ્પિયન ઓછું કરી દેશે. આ સાથે સિધ્ધપુરના ધારાસભ્ય અને હાલ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયો વિશે નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, આ વિડીયો બહુ જૂનો છે.
AAP ભાજપની બી ટીમ: અશોક ગેહલોત
હિમાચલ પ્રદેશની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, AAP પાર્ટી ભાજપના ઈશારે કામ કરે છે. શરૂઆતમાં સારી રીતે પ્રચાર કર્યા પછી AAP શાંત કેમ થઈ ? આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ AAP પાર્ટીએ પ્રચાર ઓછુ કર્યુ છે.
વડાપ્રધાન મોદી પણ 3 દિવસ ગુજરાતમાં
વિધાનસભાની ચૂંટણીને લઈ આજે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વેરાવળ, ધોરાજીમાં PM મોદી ચૂંટણી સભા કરશે. આ સાથે અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધન કરશે. મહત્વનું છે કે, 21 નવેમ્બરે PM મોદી સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધન કરશે.