પતિ-પત્નીનો સંબંધ ખૂબ કોમળ અને પવિત્ર હોય છે. કારણકે આ વિશ્વાસના પાક્કા ભરોસાથી બંધાયેલો હોય છે. કહેવાય છે કે પત્ની પતિનું અડધુ અંગ હોય છે અને તેથી તેને અર્ધાગિની કહેવામાં આવે છે.
પત્નીને પતિની ડાબી બાજુએ કેમ બેસાડાય છે?
લગ્નમાં પણ પત્નીને પુરૂષની ડાબી બાજુએ કેમ બેસાડાય છે?
જાણો, શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
પત્નીને પુરૂષની ડાબી બાજુએ કેમ બેસાડાય છે?
ધાર્મિક ગ્રંથોમાં મહિલાને પુરૂષની વામાંગી કહેવામાં આવી છે. તમે અવાર-નવાર સાંભળ્યુ હશે કે પત્નીએ પુરૂષની ડાબી બાજુએ બેસવુ જોઈએ. લગ્નમાં પણ પત્નીને પુરૂષની ડાબી બાજુએ બેસાડવામાં આવે છે. આખરે આની પાછળ ધાર્મિક મહાત્મય શું છે. આવો જાણીએ. પૌરાણિક માન્યતાઓ મુજબ, બહ્માજીના જમણા ખભામાંથી પુરૂષ અને ડાબા ખભામાંથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ. જેના કારણે મહિલાને વામાંગી કહેવામાં આવે છે. આ સાથે લગ્ન બાદ સામાન્ય રીતે મહિલાઓ પતિની ડાબી બાજુ બેસે છે. જ્યારે કોઈ વિશેષ ધાર્મિક અનુષ્ઠાન વખતે પત્નીને પતિની જમણી બાજુએ બેસાડવામાં આવે છે. જ્યારે સ્ત્રી પ્રધાન ધાર્મિક કાર્ય કરવામાં આવે છે તો પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે. હિન્દૂ ધર્મગ્રંથ મુજબ, સિંદૂરદાન, ભોજન, ઉંઘતી વખતે અને સેવા દરમ્યાન પત્નીએ પતિની ડાબી બાજુએ રહેવુ જોઈએ.
શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સ્ત્રીનુ ડાબુ અને પુરૂષનુ જમણુ અંગ શુભ હોય છે. આ સિવાય શરીર વિજ્ઞાન મુજબ મનુષ્યના માથાનો ડાબો ભાગ રચનાત્મક હોય છે. જ્યારે જમણો ભાગ કર્મ પ્રધાન હોય છે. મહિલાઓનું પુરૂષની ડાબી બાજુએ બેસવાનું એક કારણ આ પણ છે.