આગામી મહિનાથી વર્લ્ડ કપ શરૂ થનાર છે. વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ આ ટીમમાં ઋષભ પંતની પસંદગી થઇ નથી. જે માટેના કારણો સામે આવ્યા છે.
ઇંગ્લેન્ડ વેલ્સમાં આવતા મહિનાથી શરૂ થનાર વિશ્વ કપ માટે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડકપની પહેલી મેચ 30 મે લંડનના ધ ઓવલમાં ઘરેલૂ ટીમ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે રમાશે. વર્લ્ડ કપ માટે જારી સ્ક્વોડમાં સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની જગ્યા દિનેશ કાર્તિકને જગ્યા આપવામાં આવી છે.
બેટિંગ કરતાં બંને ખેલાડી આક્રમકતાની સાથે રમે છે. જો કે યુવા બેટ્સમેન ઋષભ પંત સંયમ રાખવાના મામલે દિનેશ કાર્તિકથી પછડાતો નજરે આવે છે. કાર્તિંકે સંયમની સાથે રમતા ટીમને ઘણી તકમાં જીત અપાવી છે. ગત વર્ષે બાંગ્લાદેશની વિરુદ્ધ થયેલી નિદહાસ ટ્રૉફીની ફાઇનલ મેચ એનું ઉદાહરણ છે.
આગામી વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાનાર છે, જેના આધાર પર ટીમમાં દિનેશ કાર્તિક વધારે ફીટ નજરે આવે છે. કારમ કે કાર્તિકને વિદેશી પીચો પર રમલાનો અનુભવ પંતથી ઘણો વધારે છે.
વિકેટકીપિંગના મામલે પણ દિનેશ કાર્કિત ઋષભ પંતથી વધારે એક્ટિવ નજરે આવે છે. ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ પંતના ડબલ ધોરણના વિકેટકીપિંગના કારણે ટીમે એક સ્પર્ધા પણ ગુમાવી. જ્યારે દિનેશ કાર્તિકે માત્ર વિકેટકીપિંગ નહીં પરંતુ મેદાનના કોઇ પણ ખૂણમા સારી ફીલ્ડિંગ કરવાનો દમ રાખે છે.
ઓછા બોલ પર મોટો સ્કોર બનાવવાની ટેક્નિક એક બેટ્સમેનને આઇપીએલ જેવી ક્રિકેટના શૉર્ટ ફૉર્મેટમાં સફળતા અપાવી શકે છે, પરંતુ એક દિવસની ક્રિકેટમાં એનાથી વધારે સંયમની જરૂર હોય છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વિરુદ્ધ પ્રવાસ પર જ્યારે પણ ટીમને એક ટિકાઉ ખેલાડીની જરૂર હોય તો પંત મોટા શૉટ મારવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દેતો હતો.