સંશોધનકારોએ તેમના પ્રથમ પ્રકારના અભ્યાસમાં કોવિડ-19ના ગંભીર દર્દીઓના ફેંફસાના રોગપ્રતિકારક કોષોનું વિશ્લેષણ કર્યું અને તેમની નિમોનિયા પીડિતો સાથે સરખામણી કરી. આ તુલનાત્મક વિશ્લેષણથી ખબર પડે છે કે નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અપેક્ષાકૃત ઝડપથી કેવી રીતે ફેલાય છે.
પત્રિકા 'નેચર'માં પ્રકાશિત નવા અધ્યયન અનુસાર કોરોના વાયરસ ફેફસાના મોટ ભાગમાં ઝડપથી સંક્રમિત કરવાના બદલે નાના ક્ષેત્રમાં પ્રવેશ કરી રોગપ્રતિકારક કોશિકાઓ પર કબ્જો કરી લે છે અને થોડા દિવસ અને સમય બાદ શ્વસન માર્ગમાં ફેલાય છે.
સંશોધનકારો અનુસાર કોરોનાવાયરસ સંક્રમણ ઘણું નુકસાન પહોંચાડે છે, કારણ કે આ ધીરે-ધીરે ફેફસાઓમાં ફેલાય છે અને દર્દીઓને તાવ સતત રહ્યાં કરે છે. તે બ્લડ પ્રેશર ઘટાડે છે અને દર્દીના કિડની, મગજ, હૃદય અને અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડે છે.
અમેરિકામાં નોર્થેવેસ્ટર્ન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો સહિતના નિષ્ણાંતોએ જણાવ્યું કે કોવિડ-19માં નિમોનિયાની સરખામણીએ વધારે જટિલતાનું કારણ સંક્રમણ અથવા બિમારીનું વધારે ગંભીર હોવાની સરખામણીએ વધારે સમય રહેવું છે.
નિષ્ણાંતોએ વેંટિલેટર પર કોવિડ-19ના 86 રોગીઓના ફેફસાના પ્રવાહીનું વિશ્લેષણ કર્યું હતું તેની સરખામણીએ 256 દર્દીઓના ફેફસાના પ્રવાહી સાથે કરી હતી જેમાં વિવિધ પ્રકારના નિમોનિયાથી પીડાતા વેન્ટિલેટર પર હતા.