T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 18 નવેમ્બરના રોજ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી.
ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી
આ કારણે હટાવવામાં આવી રાષ્ટ્રીય પસંદગી સમિતિ
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલ કે BCCIએ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારને 18 નવેમ્બરના રોજ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ પણ મંગાવાઈ છે. બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરવા સાથે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હોવાનું પીટીઆઈના અહેવાલમાં સામે આવ્યું છે.
જો કે BCCI આ નિર્ણય ફક્ત T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પર જ નહીં પણ ગયા વર્ષમાં જે રીતે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને નવી વિચારસરણીના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે.
🚨NEWS🚨: BCCI invites applications for the position of National Selectors (Senior Men).
આખા વર્ષમાં ચેતન શર્મા અને તેની પેનલ ટીમ ઈન્ડિયાને સ્થિર સ્કોડ આપી શકી નહતી, જણાવી દઈએ કે છેલ્લા 12 મહિનામાં કુલ 8 ખેલાડીઓને કેપ્ટનશીપ આપવામાં આવી હતી અને T20 વર્લ્ડ કપ પહેલા પણ ટીમ કોમ્બિનેશનને લઈને સતત પ્રયોગો કરવામાં આવ્યા હતા. એટલા માટે ભારતીય ટીમ પ્લેઇંગ-11નું પરફેક્ટ કોમ્બિનેશન તૈયાર કરી શકી નહતી.
કેએલ રાહુલને આઠ મહિના પછી તરત જ મોટી ટુર્નામેન્ટમાં ટીમમાં એન્ટ્રી આપવાના નિર્ણય માટે ટીકા પણ મળી છે અને કેએલ રાહુલ તેની વાપસી બાદ મોટી મેચોમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.
ચેતન અને તેની ટીમે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મોકો પણ નહતી આપી રહી અને વર્લ્ડકપની ટીમ માટે એમને અમુક પસંદગીના ખેલાડીઓ પર જ વિશ્વાસ જતાવ્યો હતો.
આ સાથે જ વર્કલોડ મેનેજમેન્ટના નામે ખેલાડીઓને ઓપ્શનલ બ્રેક આપવાના નિર્ણયોની પણ સતત ટીકા કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે શિખર ધવનને વનડે ટીમની ટીમમાં સતત તક આપવામાં આવી રહી છે અને તે સતત ODI ટીમનો કેપ્ટન બની રહ્યો છે. જો કે એમની ઉંમર 37 વર્ષ છે અને આવી સ્થિતિમાં શિખર ધવન હવે આવનાર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હશે કે નહીં તે સ્પષ્ટ નથી. જો કે આવા અનેક મુદ્દાઓ ચેતન શર્મા અને તેમની પેનલના નિર્ણયો પર સવાલો ઉભા કરીને એમને બરતરફ કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે.