દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝના લક્ષ્યાંકની સિદ્ધિ પ્રાપ્તિ બાદ જુનાગઢના રોપ વેમાં પ્રથમ 100 મુસાફરોને કોઈ પણ ચાર્જ નહિ ચુકવવો પડે. રોપ વે કંપની કરશે અનોખી ઉજવણી
દેશમાં વેક્સીનેશન 100 કરોડની ઉજવણી
જુનાગઢમાં પહેલા એક સો ને મફત મુસાફરી
અનોખી ઉજવણી કરશે ગીરનાર પરની રોપ વે કંપની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાનાં સુરેખ આયોજનથી કોરોના સામે ઘાતક હથિયાર સાબિત થયેલા વેક્સીનેશનમાં ભારત હવે 100 કરોડના લક્ષ્યાંકથી માત્ર કેટલાક ડગલાં જ દૂર છે ત્યારે, આ સિદ્ધિને બિરદાવવા જુનાગઢના ગીરનાર રોપ-વે કંપની એ,100 કરોડની ઉપલબ્ધીને નવી રીતે બિરદાવા આયોજન કર્યું છે.
વેક્સીન આંક 100 કરોડ -100 ને મફત પ્રવાસ
જૂનાગઢનાં રોપ-વેમાં દેશ જ્યારે 100 કરોડ વેક્સીન ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરશે, ત્યાર બાદ રોપ વેમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકાશે.આ જાહેરાત જૂનાગઢ રોપ-વે કંપની દ્રારા કરવામાં આવી છે.100 કરોડ ડોઝ પૂર્ણ થયા બાદ આવનારા પ્રથમ 100 મુલાકાતીઓને જ આ લાભ મળશે, ઉલ્લેખનીય છે કે ભારતમાં પૂરજોશમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે.તથા આવતીકાલ સુધીમાં ભારતમાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન થઈ જશે.
તમામ નીરજને મફત મુસાફરી કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના જવેલીન થ્રો માં સુર્વર્ણ પદક વિજેતા નીરજ ચોપરાની દેશ માટેની આ ઉપલબ્ધીની ઉજવણી પણ રોપ-વે કંપનીએ અનોખી રીતે કરી હતી રોપવે કંપની એ નીરજ નામના આવતા પ્રવાસીઓને રોપવે માં મફત મુસાફરી જાહેર કરી હતી. ભલે એક દિવસ પુરતી પણ નીરજ નામના મુસાફરો,પોતાના નામેરીની ઉપલબ્ધિથી ખુશ હતા અને તેમાં રોપ વે કંપનીએ તેમને મફત મુસાફરી કરાવ્યાનો આનંદ સવિશેષ હતો. આમ ગીરનાર પરની રોપ વે કંપની એ વેક્સીનેશનનો આંક ભારતમાં 100 કરોડે પહોચતા જ પ્રથમ 100 મુસાફરોને મફતમાં રોપ વે માં મુસાફરી કરવાનું એલાન કરી દીધું છે.