નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે. ધીમે-ધીમે તેમના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ થવા લાગી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગત સરકારમાં નાણાંમંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીએ પત્ર લખીને અપીલ કરી છે કે, તેમને આ કાર્યકાળમાં મંત્રી બનાવવામાં ન આવે. તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેમણે મોદીને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે. ધીમે-ધીમે તેમના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ થવા લાગી છે. પરંતુ કયા મંત્રીનું ક્યું ખાતુ આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયુ નથી. મોદીએ ગૃહમાં આ મામલે નિવેદન આપ્યું હતુ કે, છાપામાં છપાતા મંત્રી મંડળ પર ભરોષો ન કરતા. તેનો મતલબ એ જ છે કે, મોદી મઁત્રી મંડળ બનાવીને સૌને ચોંકાવી પણ શકે છે.
હાલ રાજકીય ગલિયારાઓમાં એ સવાલ ચર્ચાનો વિષય છે કે, દેશના આગામી નાણામંત્રી કોણ હશે? સવાલ એ છે કે, અગાઉ થોડો સમય નાણાં મંત્રાલય સંભાળી ચુકેલા પીયૂષ યોગલ આ પદ સંભાળશે કે,પછી ફરી એકવાર નરેન્દ્ર મોદી હંમેશાની માફક કોઈને ચોંકાવશે? આગામી નાણામંત્રી માટે પીયૂષ ગોયલનું નામ એટલા માટે સૌથી મોખરે ચાલી રહ્યું છે કારણ કે, મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જ્યારે અરૂણ જેટલીની તબિયત નાદુરસ્ત થઈ હતી, ત્યારે તેમને જ આ પદ સંભાળ્યું હતું. પીયૂષ ગોયલે જ મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. જેને લઈને તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, પીયૂષ ગોયલનું નામ ભલે આગળ ચાલી રહ્યું હોય પરંતુ હજી સુધી નક્કી નથી. આ સ્થિતિમાં કોઈ બીજુ જ નામ સામે આવી શકે છે. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ પણ શામેલ છે. જોકે નાણામંત્રીનું પદ સરકારમાં બીજા નંબરે માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો અમિત શાહ જો સરકારમાં શામેલ થશે તો તેમને નાણાં મંત્રાલય કે પછી ગૃહ મંત્રાલય આપવામાં આવી શકે છે.
આ તરફ ત્રીજુ નામ કે જે ચર્ચામાં આવ્યું છે તે નિર્મલા સીતારમનનું છે. અત્યાર સુધી તેમની પાસે સંરક્ષણ મંત્રાલય હતું, પરંતુ જો આ વખતે તેમનું મંત્રાલય બદલવામાં આવે તો તેમને નાણાં મંત્રાલયની જવાબદારી આપવામાં આવી શકે છે. જોકે આ તમામ અટકળો છે. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને ત્યાર બાદ કાર્યભારની વહેંચણી કરાશે.