બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / When Kuldeep Yadav Scolded By Ms Dhoni On The Ground Vs Sri Lanka In 2017
Noor
Last Updated: 11:38 AM, 18 April 2020
ADVERTISEMENT
કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન સ્પોર્ટ્સ પ્રેસેન્ટર જતીન સપ્રૂને કહ્યું કે, 'કુસલ પરેરાએ કવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ધોની વિકેટની પાછળ ઉભો હતો અને મને ફિલ્ડિંગ બદલવાનું કહ્યું હતું. મેં તેના સૂચનો માન્યા નહીં અને નેક્સ્ટ બોલ પર કુસલે રિવર્સ સ્વીપમાં ચોગ્ગો માર્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના શ્રીલંકા સામે ઈન્દોરમાં રમાયેલી ટી-20 મેચની છે. આ મેચમાં એક સમયે, જ્યારે કુલદીપ યાદવ શ્રીલંકાના બેટ્સમેનોની સામે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે કેપ્ટન ધોનીએ વિકેટની પાછળથી તેને અવાજ લગાવતા કહ્યું, કવર પરથી ફીલ્ડર હટાવી પોઈન્ટ પર મૂકી અને બોલને બહાર ફેંક.
પરંતુ કુલદીપ યાદવે ધોનીની સૂચનાની અવગણના કરી હતી અને કહ્યું, રહેવા દો, આ ફિલ્ડિંગ વધુ સારી છે'. જે બાદ માહી ભડકી ગયો અને તેણે મેદાન પર જ કુલદીપને સંભળાવ્યું. ચાઇનામેને કહ્યું, ધોની ગુસ્સે થઈને મારી પાસે આવ્યો અને કહ્યું, હું પાગલ છું. મેં 300 વન-ડે રમ્યા છે અને તૂ મને શું સમજે છે.
પછી બીજી જ ઓવરમાં ધોનીનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો. કુલદીપ યાદવના બોલ પર શ્રીલંકાનો એક બેટ્સમેને પોઈન્ટ પર ઉભેલા ફીલ્ડરથી કેચઆઉટ થઈ ગયો. તે દિવસે કુલદીપ યાદવને પહેલી વાર ધોનીનો અનુભવ સમજાયો.
કુલદીપ એટલો ડરી ગયો કે બસમાં ધોનીથી માફી માગવા ગયો અને પૂછ્યું કે તે પહેલાં પણ આટલો ગુસ્સે થયો છે. તેણે કહ્યું, 'તે દિવસે હું બહુ જ ડરી ગયો હતો. તે મેચ પછી, હું ટીમની બસમાં ગયો અને પૂછ્યું કે પહેલાં આટલો ગુસ્સો આવ્યો છે તો માહીએ કહ્યું, વીસ વર્ષથી હું ગુસ્સે થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT