બોલિવૂડના સદાબહાર એક્ટર દેવ આનંદનો આજે જન્મ દિવસ છે. ભાભીજી ઘર પર હેમાં કમિશનરની ભૂમિકા ભજવનાર રેશમપાલ અટલે કે કિશોર ભાનુશાળીને દેવાનંદનો ડુપ્લિકેટ માનવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે બદલાઇ ગઇ તેની કિસ્મત.
હેપ્પી બર્થ ડે દેવ આનંદ
દેવ આનંદના ડુપ્લિકેટ તરીકે આવ્યા સામે
ગુજરાતી એક્ટરે છોડી ઉંડી છાપ
ભારતના ગ્રેગરી પેક એટલે કે દેવ આનંદનો આજે 97મો જન્મદિવસ છે. દેવ આનંદની સ્ટાઇલને ઘણા લોકોએ કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જે એક્ટરને દેવ આનંદનો ડુપ્લિકેટ કહેવામાં આવ્યો તે છે કિશોર ભાનુશાળી. જે હાલમાં ભાભીજી ઘર પર હેમાં કમિશનરનુ પાત્ર ભજવી રહ્યો છે.
કિશોરે પોતાની કરિયરની શરૂઆત 1989થી કરી હતી. ફિલ્મનું નામ હતુ લશ્કર અને બાદમાં તેમણે ગોપી કિશન, કરન અર્જુન જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ. દિલ ફિલ્મ બાદ ખુદ દેવ આનંદે તેને મળવા બોલાવ્યો હતો.
એક ઇન્ટરવ્યુ દરમિયાન કિશોરે જણાવ્યું કે, દિલ ફિલ્મ બાદ દેવ સાહેબને મળવા તેમની ઑફિસ ગયો હતો, તે દિવસે તે ખૂબ જ મજાકના મૂડમાં હતા. તેમણે મને જોઇને તેમના જ અંદાજમાં કહ્યું કે, કિશોર નામ છે ને? દિલ જોઇને મને લાગે છે કે હવે મારે તમારી કોપી કરવી પડશે.
નહોતી જોઇ દેવ આનંદની ફિલ્મો
કિશોર જણાવે છે કે દેવ સાહેબે પૂછ્યુ કે હવે તારી પાસે કેટલી ફિલ્મો છે ત્યારે જવાબ આવ્યો 8-10 ફિલ્મો ત્યારે દેવ આનંદે જવાબ આપ્યો કે મારી પાસે તો 2 જ ફિલ્મો છે મને પણ એકાદી ફિલ્મ આપો.
કિશોરે દેવ આનંદની કોઇ ફિલ્મ નહોતી જોઇ, ત્યારે રાજેશ ખન્નાનો જમાનો હતો પરંતુ જ્યારે કોઇએ કહ્યું કે તારો ચહેરો તો દેવ સાહેબને મળતો આવે છે ત્યારે કિશોરે જવાબ આપ્યો કે હું દેવ આનંદને નથી ઓળખતો.
10 વર્ષ સુધી કર્યો સંઘર્ષ
કિશોર ભાનુશાળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો, જ્યારે તેમને કંઇ કામ ન મળ્યુ તો તે પરત ગુજરાત આવી ગયા અને ફેમિલી બિઝનેસ કરવાનો વિચાર કર્યો. બાદમાં તેમને એક વીડિયો ફિલ્મની ઑફર આવી. બાદમાં રામગઢ અને દિલ ફિલ્મે તેમની કિસ્મત બદલી નાંખી.