કરણ જોહરની આગામી ફિલ્મમાં કરીના કપૂર કામ કરે તેવી શક્યતા છે. તે હાલ સોનમ કપૂરની ફિલ્મ 'વીરે દી વેડિંગ' માં વ્યસ્ત છે. આ ફિલ્મ રીલિઝ થયા બાદ અભિનેત્રી તરત જ કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી ચર્ચા છે.
આ ફિલ્મમાં કરીના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળે તેવી શક્યતા છે. કરીના તૈમૂરના જન્મ બાદ હવે ફરી જોરશોરથી કારકિર્દીને વેગ આપી રહી હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરશે. આ ઉપરાંત ફિલ્મમાં ટોચના અન્ય કલાકારો હશે તેવું પણ જણાઈ રહ્યું છે પરંતુ તેની ઘોષણા કરવામાં આવી નથી. મળતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ રોમેન્ટિક જોનર હશે.