Amar Jawan Jyoti મામલે ચાલી રહેલા વિવાદ બાદ કેન્દ્રએ ખુલાસો કર્યો હતો સાથે કોંગ્રેસ પર વળતો પ્રહાર પણ કર્યો હતો.
દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ખસેડવાનો મામલો
રાહુલ ગાંધી સહિતના નેતાઓનો વિરોધ
જાણો શું છે યુદ્ધ સ્મારકનો ઇતિહાસ
કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓ કે જે કેન્દ્ર સરકારના અમર જવાન જ્યોતિ યુદ્ધ સ્મારક ખાતે ખસેડવાના નિર્ણય પર આપત્તિ જણાવી રહ્યા છે. તેઓ માટે કેન્દ્ર સરકારનો એક ખુલાસો સામે આવ્યો છે.
The flame of Amar Jawan Jyoti is not being extinguished. It is being merged with flame at National War Memorial. It was an odd thing to see that the flame at Amar Jawan Jyoti payed homage to martyrs of 1971 & other wars but none of their names are present there: GoI Sources
કેટલાક લોકોને ગેર સમજ થઈ હતી કે જયોત બુજવવામાં આવી રહી છે પણ ખરેખર તેને નેશનલ વોર મેમોરિયલ ખાતે મર્જ કરવામાં આવી રહી છે.
સાચી શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે નેશનલ વોર મેમોરિયલ ખાતે અત્યાર સુધીના તમામ શહીદો માટે એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં માત્ર વર્લ્ડ વોર જ નહીં પરંતુ 1971 સહિત અત્યાર સુધીના તમામ યુદ્ધોનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નામ લખવામાં આવ્યા છે. સરકારે તેને 'સાચી શ્રદ્ધાંજલિ' ગણાવી હતી.
અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટ ખાતે હતી તે 1971 ના શહીદોને અંજલિ આપવા માટે હતી પરંતુ ત્યાં શહીદોના નામ ન્હોતા લખવામાં આવ્યા. સરકારી સૂત્રોએ કહ્યું હતું કે સાત દાયકામાં શહીદો માટે યુદ્ધ સ્મારક ન બન્યું એ વિચાર પ્રેરક વાત છે. અને હવે જ્યારે બની રહ્યું છે ત્યારે તેને લઈને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર સામે આવ્યા હતા કે શુક્રવારે આયોજિત એક કાર્યક્રમમાં આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં ભેળવી દેવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સમારોહની અધ્યક્ષતા એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ કરશે. તેમના દ્વારા જ જ્યોત ભેળવવામાં આવશે.
બ્રિટિશ વતી યુદ્ધ લડનાર ભારતીય સૈનિકોની યાદમાં બન્યું હતું
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ગેટ સ્મારક બ્રિટિશ સરકારે 1914-21ની વચ્ચે જીવ લેનારા બ્રિટિશ વતી યુદ્ધ લડનાર ભારતીય સૈનિકોની યાદમાં જણાવ્યું હતુ. બાદમાં અમર જ્યોતિને 1970માં પાકિસ્તાન પર ભારતની મોટી જીત બાદ યુદ્ધ સ્મારકમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈન્ડિયા ગેટ પરિસરમાં બનેલા રાષ્ટ્રીય સ્મારક 2019માં ઉદ્ધાટન કર્યુ હતુ.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે. જેમણે 1947-48થી વિભિન્ન અભિયાનોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનની સાથે ગલવાન ઘાટીમાં યુદ્ધ ચીની સૈનિકોની સાથે સંઘર્ષ આતંકવાદ વિરોધી અભિયાનોમાં જીવ ગુમાવનારા સૈનિકોના નામ પણ સ્મારકો દિવારોમાં સામેલ છે.