પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ બાયો સેફ વાતાવરણમાં ક્રિકેટ રમવાના વિચારના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે, આ વિચાર વાસ્તવિકતાથી ઘણો દૂર છે. ECB કોરોના મહામારી હોવા છતાં ક્રિકેટ સત્ર શરૂ કરવા માટે ઉતાવળ કરી રહ્યું છે. તેણે હાલમાં જ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સુરક્ષિત જગ્યાએ મૅચનું આયોજન કરવાની ઘોષણા કરી છે.
રાહુલ દ્વવિડનો કોરોના વ્યૂ
કોરોના મહામારીમાં ના રમાઇ શકે ક્રિકેટ
રાહુલ દ્વવિડે એક વેબિનારમાં કહ્યું હતું કે, ECB જે વસ્તુઓ વિષે વાત કરી રહી છે તે વાસ્તવિકતાથી ઘણી દૂર છે. ક્રિકેટ નથી રમાઇ રહ્યું તે જોઇને ECB સિરીઝનું આયોજન કરવા ઇચ્છુક છે. દ્વવિડે વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષિત જગ્યાએ મૅચનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ તે જગ્યાએ પહોંચવા માટે યાત્રા કરવી પડે અને કેટલાક લોકોને બોલાવવા આવશ્યક છે. જેથી ખેલાડીઓ માટે હાલ પૂરતું ક્રિકેટ રમવું સેફ નથી.
દ્રવિડે કહ્યું કે, બાયો સેફ વાતાવરણમાં ઘણા પ્રકારના પરિક્ષણ કરવા પડતા હોય છે. અને ટેસ્ટ મૅચના બીજા દિવસે જો કોઇ ખેલાડી કોરોના સંક્રમિત થાય છે તો આગળની મૅચનું શું ? સારી દવાઓ અને વેક્સિન શોધાયા બાદ સ્થિતિ સુધરશે.
જો બાયો સેફ વાતાવરણમાં કોઇ ખેલાડી સંક્રમિત થશે તો ટેસ્ટ મૅચ અડધેથી જ સમાપ્ત થઇ જશે. તે માહોલ માટે કરાયેલી તમામ તૈયારીઓ બેકાર થઇ જશે. ક્રિકેટ સહિત દરેક ખેલ કોરોના મહામારીને કારણે ઠપ પડેલા છે. મહામારી રોકવા માટે લગાવેલા લૉકડાઉનના કારણે ખેલાડીઓ ઘરે રહેવા મજબૂર બન્યા છે.