પશ્ચિમ બંગાળમાં એક મોટા રેલ અકસ્માતની ઘટના બની હતી. જે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ગૌહાટી-બિકાનેર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડવાનો મામલો
ટ્રેન બિકાનેરથી ગૌહાટી જતી હતી તે સમયે થયો અકસ્માત
દુર્ઘટના સમયે ટ્રેન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી હતી
પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દોમોહાની નજીક ગુરૂવારે બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ખડી ગયા અને કેટલાક ડબ્બા પલટી ગયા, જેને લઇને 9 મુસાફરોના મોત થઇ ગયા અને 45થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. અધિકારીએ આ માહિતી આપી છે. ગુવાહાટીમાં પૂર્વોત્તર સીમાંત રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, દુર્ઘટના એનએફઆરના અલીપુરદ્વાર સંભાગ અંતર્ગત એક વિસ્તારમાં સાંજે 5 વાગ્યે બની. દુર્ઘટનાસ્થળ ગુવાહાટીથી 350 કિલોમીટરથી વધુ દુર છે.
જલપાઇગુડીના જીલ્લા અધિકારી મૌમિતા ગોદારા બસુએ કહ્યું કે, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાકની હાલત ગંભીર છે, જોકે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બચાવ કર્મચારીઓ મોડી રાત્રે પણ જીવતા બચેલા લોકો અને મૃતદેહોને શોધવામાં લાગી હતી, તમામ ડબ્બાની સારી રીતે તપાસ કરવામાં આવી.
રેલવે સુરક્ષા આયોગ દુર્ઘટનાના કારણોની કરશે તપાસ
નવી દિલ્હીમાં રેલવેના એક અધિકારીએ કહ્યું કે, રેલવે સુરક્ષા આયોગ દુર્ઘટનાના કારણોની તપાસ કરશે. ગુવાહાટીમાં એનએફઆના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બચાવ અભિયાન પૂર્ણ થઇ ગયું છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 1053 મુસાફરો હતા.
પીએમ મોદીએ દુર્ઘટનામાં પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે પશ્ચિમ બંગાળમાં થયેલા રેલવે દુર્ઘટના વિશે જાણકારી લીધી હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ, ગંભીર રુપથી ઇજાગ્રસ્ત લોકોને 1 લાખ અને નજીવી ઇજાગ્રસ્ત થયેલા લોકોને 25 હજારની સહાયતા આપવાની જાહેરાત કરી છે.