પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે રાજ્યની મમતા સરકારે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં 31 જૂલાઇ સુધી લૉકડાઉન લાગૂ પડશે. જો કે, મમતા સરકારે એવું પણ જણાવ્યું છે કે, આ લૉકડાઉન દરમિયાન પહેલાની તુલનામાં વધારે છૂટછાટ આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં વધારવામાં આવ્યું લોકડાઉન
31 જુલાઇ સુધી વધારવામાં આવ્યું લોકડાઉન
કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે લીધો નિર્ણય
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાના તાજેતરના કેસ અને રાજ્યની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગ બાદ મમતા બેનર્જી સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તો લૉકડાઉનમાં કેટલીક છૂટ અને નક્કી થયેલ શરત પ્રમાણે 31 જૂલાઇ સુધી લૉકડાઉન યથાવત રહેશે.
દેશમાં ફરીથી લૉકડાઉનની આશંકા
કોરોના વાયરસના કારણે ફરી એકવાર સમગ્ર દેશમાં લૉકડાઉનની ચર્ચા શરૂ થઇ છે. પહેલા ચેન્નઇ અને ત્યારબાદ ગુવાહાટી અને હવે પશ્ચિમ બંગાળમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. બેંગલુરૂ સહિત અનેક શહેરમાં લૉકડાઉન ફરી લાગુ કરવામાં આવશે.
Lockdown in the state extended till 31st July with certain relaxations: West Bengal Government pic.twitter.com/utW4X2u6oT
તામિલનાડુ સરકારે કોરોના સતત વધતા જતા કેસો વચ્ચે ચેન્નઈ અને આજુબાજુના ત્રણ જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન લાગુ કર્યું છે. આસામમાં કોરોના કેસમાં ઉછાળાને પગલે રાજ્ય સરકારે મંગળવારથી જ ગુવાહાટીના 11 નગરપાલિકા વિસ્તારોમાં 14 દિવસ માટે લોકડાઉન લગાવી દીધું છે.
બંગાળમાં કોરોનાને કારણે 580 લોકોના થયાં મોત
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 14728 કેસ નોંધાયા છે. તેમાંથી, કોરોનાના કુલ 9218 દર્દીઓ પણ સાજા થયા છે અને 580 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હવે કુલ 4930 સક્રિય કેસ નોંધાયા છે. આ ઉપરાંત 18,13,88 લોકોને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે.