મધ્યપ્રદેશમાં કૂવામાં પડેલા એક બાળકને બચાવવાના પ્રયાસમાં મુશ્કેલીમાં ફસાયેલા 19 લોકોના જીવ બચ્યા તો 11 લોકોના મોત થયા. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતાની સાથે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશમાં બાળક પડ્યું કૂવામાં
બચાવવા ગયેલા 19 લોકોને બચાવાયા, 11ના થયા મોત
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરવાની સાથે સહાયની કરી જાહેરાત
જિલ્લાના ગંજબાસૌદાના લાલ પઠાર વિસ્તારમાં ગુરુવારે સાંજે કૂવામાં પડેલા એક બાળકને બચાવવાના પ્રયાસમાં પડેલા લોકોમાંથી 19 લોકોને બચાવાયા છે તો 11 લોકોના મૃતદેહ મળ્યા છે. આ સાથે 24 કલાક બાદ બચાવ કામગીરી શુક્રવારે રાતે 10 વાગે ખતમ થઈ હતી.
Anguished by the tragedy in Vidisha, Madhya Pradesh. My condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives: PM @narendramodi
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પીએમ મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે.
આવી રીતે બની હતી ઘટના
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે રાતે હચમચાવી દેનારી ઘટના બની છે. લાલ પઠારમાં એક કુવામાં એક બાળક પડ્યુ. તેને બચાવવા પહોંચ્યા તો આખો કુવો ધરાશાયી થયો. કુવાની આસપાસ ભારે ભીડ હતી. જેના કારણે લગભગ 40 લોકો તેમાં પડ્યા હતા. ઘટના બનતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. NDRFની ટીમ રાહત બચાવના કાર્યમાં જોડાયેલી હતી. તેની કામગીરી 24 કલાક બાદ ગઈકાલે રાતે 10 વાગે પૂરી થઈ છે.
Madhya Pradesh: At least 15 people fall into a well in Ganjbasoda area in Vidisha
"Teams of NDRF & SDRF have left for the incident site from Bhopal. District collector & SP are on the spot. I've directed guardian minister Vishwas Sarang to reach there," says CM SS Chouhan pic.twitter.com/py2luXsvxN
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કરી હતી આ જાહેરાત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગંજબાસૌદામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં થયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ધાયલના પરિવારને 50 હજાર રૂપિયાની મદદ અપાશે. આ સાથે ઘાયલોને ફ્રીમાં સારવાર મળે તેની વ્યવસ્થા પણ કરાશે. આ સાથે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને પીડિતોની શક્ય ચિકિત્સા મદદ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે તેઓ પીડિત પરિવારની સાથે છે અને તેમની શક્ય તમામ મદદ કરાશે. ઘટના બની ત્યારે કૂવો 50 ફીટ ઊંડો હતો અને પાણીનું સ્તર 20 ફૂટ હતુ.