મોટાભાગે લોકો ભોજન બાદ વરિયાળી ખાય છે જેથી મોઢાની સ્મેલ ન આવે. પણ જો તમે વજન ઉતારવા ઈચ્છો છો તો તમે વરિયાળીનું પાણી પીઓ તે ઈચ્છનીય છે.
રોજ પીઓ 1 ગ્લાસ વરિયાળીનું પાણી
જાણો બનાવવાની અને પીવાની રીત
વજન ઉતારવામાં કોરોનામાં કરશે મદદ
કોરોના મહામારીમાં લોકોને માટે જિમ જવું મુશ્કેલ બની રહ્યું છે. અનેક જગ્યાએ લોકડાઉન છે તો ખાવાની આદતોમાં ફેરફાર આવવાના કારણે અને સાથે ઘરમાં લાંબા સમય સુધી રહેવાથી વજન વધી રહ્યું છે. નબળી લાઈફસ્ટાઈલના કારણે લોકોના વજન પર અસર પડે છે. આ સમયે તમે વેટ લોસ કરવા ઈચ્છો છો તો તમે ઘરે જ આ સરળ ઉપાય કરી શકો છો.
જિમ ગયા વિના ઘરે જ ઉતારો વજન
મહિલાઓ ખાસ કરીને વધતા વજનથી પરેશાન રહે છે અને કોરોનામાં તે જિમ જઈ શકતી નથી અને સાથે કોઈ કસરત પણ કરતી નથી. તેમના માટે આ વરિયાળીનું પાણી રામબાણ ઈલાજ છે. તો જાણો તમે તેને કઈ રીતે બનાવશો અને સાથે તેનું સેવન પણ કઈ રીતે કરશો તો તમને લાભ થશે. વરિયાળી શરીરમાં ફેટ જામવા દેતી નથી અને તેની ચા પીવાથી શરીરના ટોક્સિન બહાર નીકળે છે.
વરિયાળી વધારે છે મેટાબોલિક રેટ
વરિયાળીના સેવથી મેટાબોલિક રેટ સરળતાથી વધે છે અને વજન ઘટે છે. સ્થૂળતા સૌથી મોટું કારણ છે મેટાબોલિક રેટને ઓછું કરવાનું જરૂરી છે. જો તમે વજન ઓછું કરવાની કોશિશ કરો છો તો મેટાબોલિક રેટ વધારવાનો રહે છે.
વજન ઓછું કરવા માટે આ રીતે કરો વરિયાળીનો ઉપયોગ
વજન ઘટાડવા માટે તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તો તમે તેનું યોગ્ય રીતે સેવન કરશો તો તમને લાભ થશે. તમે 2 રીતે તેનો ઉપયોગ કરી શકો છો.
પહેલી રીત
એક ચમચી વરિયાળીને આખી રાત 1 લિટર પાણીમાં પલાળીને રાખો. સવારે ઉઠીને આ પાણી પી લો. રોજ આવું કરવાથી થોડા સમયમાં વજન ઘટે છે.
બીજી રીત
પાણીમાં ઉકાળીને
જો તમે પોજ વરિયાળીને પલાળીને પીવાનું કામ નથી કરી શકતા તો તમે 2 ચમચી વરિયાળીને 1 લિટર પાણીમાં ઉકાળો. તેનો અર્ક પાણીમાં આવે તો તેને ઠંડું કરીને ફ્રિઝમાં રહેવા દો. રોજ સવાર ઉઠ્યા બાદ અને રાતે સૂતા પહેલાં તેનું સેવન કરો.
મળશે આ પોષક તત્વો
વરિયાળીમાં અનેક પોષક તત્વો હોય છે જે વ્યક્તિને હેલ્ધી રાખે છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે અને ગરમીમાં તેનો વધારે ઉપયોગ કરાય છે. તેમાં વિટામિન સી હોય છે અને જરૂરી કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ પણ હોય છે. તે હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. આ ઉપાયથી વજન સરળતાથી ઘટે છે.