જાપાની લોકો વજન ઓછું કરવા માટે સવારની શરૂઆત હૂંફાળા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને આ એક સાયન્ટિફિક રીત છે.
વજન ઓછું કરવા ટ્રાય કરો આ જાપાની રીત
હૂંફાળું પાણી અને કેળું કરશે કમાલ
વજન ઓછું કરવાની સાથે અનેક સમસ્યામાં આપે છે રાહત
આ રીતે જલદી ઘટે છે વજન
એક્સપર્ટના અનુસાર હૂંફાળું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધવાનો અર્થ એ છે કે ફેટ બર્ન કરવાનો પાવર વધવો. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કેળા ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી શરીરને કંઇ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જ્યારે વ્યક્તિ ખાવાનું ઓછું ખાય છે તો વજન કંટ્રોલમાં રહે છે.
હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાયજેશન સુધરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કઇ રીતે કરશો ઉપયોગ, જાણી લો રીત....
સવારે ઉઠતાંની સાથે 1 ગ્લાસ હૂંફાળું પાણી પીઓ. તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા 1+ કે - કરી શકો છો.) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ના નામથી ઓળખવામાં આવે છે. આ રીત હિતોશી અને સુમિકો નામના બે જાપાનીઓએ શોધી હતી. આજે વજન ઓછું કરવા જાપાનનો આ સૌથી બેસ્ટ ઉપાય છે.
હૂંફાળું પાણી અને કેળા ખાવાના અન્ય ફાયદા
મેદસ્વીતા ઘટશે
હૂંફાળું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળે છે અને મેટાબોલિઝમ વધે છે. તેના અડધા કલાક બાદ કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળશે અને સાથે પેટ ભરેલું રહેશે. આ કોમ્બિનેશન સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.
પેટની સમસ્યા
હૂંફાળું પાણી પીધા બાદ કેળું ખાશો તો પેટ સાફ રહેશે અને ડાઇજેશન સુધરશે. તેનાથી કબજિયાત, એસિડિટી અને ગેસની પ્રોબ્લેમ દૂર થશે.
એનર્જી
રોજ સવારે કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળે છે. તેનાથી નબળાઇ દૂર થશે અને બોડી એક્ટિવ રહેશે.
હેલ્ધી સ્કિન
હૂંફાળા પાણીથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળશે. કેળાથી વિટામિન B6 અને C ભરપૂર મળશે. આ કોમ્બિનેશન સ્કિન ગ્લો વધારવામાં મદદ કરશે.
કિડની
હૂંફાળું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળશે. કેળાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન B6 અને C જેવા ન્યૂટ્રિએન્ટ્સ મળશે. તેનાથી કિડની ડિસીઝનો ખતરો ટળશે.
લોહીની ખામી
હૂંફાળા પાણીથી બોડી વેસ્ટ બહાર નીકળવામાં મદદ મળશે અને બ્લડ પ્યૂરીફાઇ થશે. કેળામાંનું ડાયટરી ફાઇબર બ્લડમાં હીમોગ્લોબિન લેવલ વધારશે, તેનાથી એનિમિયાની પ્રોબ્લેમ દૂર થશે.
હેલ્ધી હાર્ટ
રેગ્યુલર હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી બોડીનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.
બ્લડ પ્રેશર
હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી બોડીમાં સોડિયમ લેવલ બેલેન્સ રહે છે. તેનાથી BP કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
ઇમ્યૂનિટી
હૂંફાળા પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી બોડીની ઇમ્યૂનિટી વધશે. તેનાથી ઇન્ફેક્શનનો ખતરો ટળશે અને બીમારીથી બચાવ થશે.
હેલ્ધી હેર
હૂંફાળું પાણી અને કેળાનું આ કોમ્બિનેશન લેવાથી વાળના મૂળ મજબૂત થાય છે. તેનાથી વાળ ભરાવદાર અને લાંબા બનાવવામાં મદદ મળે છે.