એક બાજુ દુનિયામાં વૈવાહિક જીવન અસફળ થઇ રહ્યા છે બીજી બાજુ મિથિલામાં આજના સમયમાં પણ વૈવાહિક જીવન સો ટકા સફળ છે. એનું મૂળ રહસ્ય અહીંના સમાજ દ્વારા વૈવાહિક સંસ્કારોમાં વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવવાનું માનવામાં આવે છે.
મિથિલામાં સદીઓ પહેલા આ એવી સંસ્થાઓ હતી જે ફ્રી માં કામ કરી રહી હતી અને પૂરી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવતી હતી.
આજે પણ મિથિલામાં વર વઝૂ અને માતા પિતા પક્ષના સાત પેઢીઓની વચ્ચે લોહીના સંબંધનો ખ્યાલ રાખવામાં આવે છે. સમગોત્રી એટલે કે સરખું લોહી મળી આવવા પર લગ્ન થતા નથી. આ પરંપરા મિથિલામાં આજે પણ ચાલુ છે. આજના હિસાબથી મેરેજ 'રજિસ્ટાર' એમની પાસે સેંકડો વર્ષનો વંશાવલી દસ્તાવેજ પણ મોજૂદ છે.
પરીક્ષણ દરમિયાન વરનું નાર દબાવવામાં આવે છે જેનો ઉદ્દેશ એવો છે કે વર શ્વાસ અને મિર્ગીથી ગ્રસ્તો તો નથી. સાથે જ આ દરમિયાન શરીરથી વસ્ત્રો પણ ઊતારાઇ દેવામાં આવે છે. વસ્ત્ર ઊતારવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે ચામડીનો રોગ વગેરેની તપાસ કરવી. સાથે જ મનોવૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં વર દ્વારા અસફળ થવા પર લગ્ન રોકી દેવામાં આવે છે. આ તપાસ પ્રક્રિયામાં મહિલાઓની મહત્વની ભૂમિકાની સાથે જ વાળંદની પણ ભૂમિકા હોય છે.
પરીક્ષણમાં વરના સફળ થયા બાદ વર કન્યા પક્ષની ઉપસ્થિતિમાં લગ્નનો કાર્યક્રમ સંપન્ન કરાવવામાં આવે છે. લગ્નમાં કન્યા પક્ષના લોકોને સરિયાતી અને વર પક્ષના લોકોને 'બરિયાતી' કહેવામાં આવે છે.
લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક વર્ષ સુધી નાના પ્રકારના અનુષ્ઠાન કાર્યક્રમ ચાલતા રહે છે જેમાં પ્રકૃતિ અને અગ્નિને સાક્ષી માનવામાં આવે છે. સાથે જ અહીંની ગીતનાદ પરંપરા પણ અદ્ધુત છે. અહીંની પરંપરા પણ વર વધૂને એક બીજા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. એને આજની પશ્વિમી સભ્યતાની હિસાબથી હનીમૂન કહી શકાય છે.
એ દરમિયાન વર કન્યા એકબીજાથી એટલા ભાવુકતાથી જોડાઇ જાય છે કે લાગે છે આ બંને એકબીજા માટે જ બન્યા હતા.