રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કાલથી શિયાળાની શરૂઆત થશે અને શરૂઆતના દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ થશે. જો કે શિયાળાની શરૂઆત છતાં વરસાદની આગાહી યથાવત છે. 2 દિવસ કમોસમી વરસાદની હવામાને આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડી શકે છે. કચ્છ, દ્વારકા, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂનાગઢના કેટલાક વિસ્તારો અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડ્યો છે.
અકાળા, અમરાપુર, કાત્રાસા, વીરડી ગામે ધોધમાર વરસાદ
ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ પડ્યો
ખંભાળીયા તેમજ સલાયા વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદ થાય તેવી શક્યતા છે. બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાતાવરણમાં ફેરફાર થતા ધીમીધારે વરસાદ ચાલુ થયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ફરી ચિંતાનો વિષય બન્યો છે.
જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ
જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો છે. અકાળા, અમરાપુર, કાત્રાસા, વીરડી ગામે ધોધમાર વરસાદ થયો છે. ઘઉં - ચણાના પાકને નુકસાનનો ભય છે. આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
જૂનાગઢના કેશોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
જૂનાગઢમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતાના પાકને ભારે નુકસાન થયું છે. ક્શોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજુ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.
ધોરાજીના વાતાવરણમાં આવ્યો પલ્ટો
ધોરાજીના વાતાવરણમાં આવ્યો પલ્ટો આવ્યો છે. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. છત્રાસા ગામે ધોધમાર વરસાદને લઇને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથક માં ફરી છવાયો વરસાદી માહોલ
દિવાળી બાદ ત્રીજી વખત થયું ખંભાળિયામાં માવઠું થયું છે. ખંભાળીયા તેમજ સલાયા વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ચોમાસુ પૂરું થયા બાદ સતત વરસાદથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખંભાળિયા શહેરમાં રસ્તાઓ પાણી પાણી થયા છે. ખેડૂતો સાથે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. વરસાદી માવઠાને પગલે પાકને નુકશાનનો ભય છે. મોટાભાગના ખરીફ પાકને નુકશાન થઇ શકે છે.
કચ્છમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ
દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલાં ઈન્ડ્યુસ્ડ અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાપરના કુંભારીયા અને રણકાંધીના ખાવડા, બન્ની, પચ્છમ સુધીના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અબડાસા - લખપતના વિવિધ ગામોમાં પણ કરા સાથે વરસાદ થયો છે. ખાવડા સહિત તેની આસપાસના નાના દિનારા, ધ્રોબાણા, પૈયા સહિત પચ્છમમાં મોટાં મોટાં કરા સાથે વરસાદે થયો છે. લખપતના દયાપર, માતાના મઢમાં કરા પડ્યા છે. અબડાસાના ડુમરા, મંજલ, કરોડીયા સહિતના ગામોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડ્યા છે. ખાવડા પંથકમાં કરાંના લીધે ઠેર - ઠેર બરફની ચાદર પથરાઈ ગઈ છે. માવઠાના કારણે ગુવાર, મગ, મઠ અને તલના વાવેતરને મોટાપાયે નુકસાન થયું છે. આગામી બે દિવસ સુધી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠા પડવાની શક્યતા હવામાન વિભાગ જણાવી છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ૧૪ અને ૧૫ તારીખે છુટો છવાયો વરસાદ પડવાની આગાહીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કઠોળ, સોયાબીન, બાજરી સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે.