જ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવે લોકોએ વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 43 ડીગ્રી તાપમાનને પાર થયો છે.
દેશમાં હાલ જ્યાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સૂર્યનારાયણ પણ પોતાનો ગરમાવો વધારી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવે લોકોએ વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 43 ડીગ્રી તાપમાનને પાર થયો છે. જ્યારે રાજ્યમાં અંદાજે 18 હજાર જેટલા લોકોને હીટવેવની અસર થતા અનેક લોકો સારવાર હેઠળ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો 4 હજાર 195 લોકોને હીટવેવની અસર થતા તેઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ કાળઝાળ ગરમીથી બચવા માટે તંત્રએ તકેદારી રાખવા માટે પણ સલાહ આપી છે.
જો કે બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી હીટવેવ યથાવત રહી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના શહેરોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. જોકે હાલ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેક હવામાન વિભાગ દ્વારા 26થી 28 દરમિયાન રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં 26થી 28 એપ્રિલ સુધી અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, કચ્છ અને અમરેલીમાં ગરમીનો પારો ઉપર જશે. આ સાથે જ કામ વગર ઘરથી બહાર ન નિકળવા માટે લોકોને સૂચના પણ આપવામાં આવી છે. જો કે ગરમીનું પ્રમાણ વધતાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરોમાં માર્ગો સૂમસામ દેખાઈ રહ્યા છે. જ્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાની પણ મદદ લઈ રહ્યા છે.