રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.
ઉનાળો હાલ આકરુ રૂપ ધારણ કરી રહ્યો છે. પરિણામે લોકો કાળઝાળ ગરમીથી અકળાયા છે. આવી સ્થિતિ વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન રજૂ કર્યું છે. જે અનુમાન મુજબ દેશમાં 96 ટકા વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા સેવાઇ રહી છે. તે જ રીતે ગુજરાત, મહારાષ્ટ્ર, MP, છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસુ સામાન્ય રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું હતું.બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ લેનારા ખેડૂતો સામે હવે લાલ આંખ, યોગ્યતા ન ધરાવતા ખેડૂતે લાભ લીધો હશે તો કાર્યવાહી થશે તેમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 4.52 લાખ ખેડૂતોએ ખોટો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. 4.52 લાખ ખેડૂતોએ 1600 કરોડની સહાય લીધી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની ચકાસણી બાદ 4.52 લાખ ખોટા લાભાર્થી સામે આવ્યા છે તેમજ લેન્ડ સીડિંગ અને E - KYCની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે. મૃત્યુ પામેલા ખેડૂતોના નામે સહાય મેળવતી હોવાનું સામે આવ્યું છે. જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થી સામે આવ્યા છે.7/12 માંથી નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ધ્યાને આવ્યા છે. ઇન્કમટેક્સ ભરતા હોવા છતાં પણ લાભ લીધાની વાત પણ સામે આવી તેમજ કિસાન સન્માન નિધિમાં કેન્દ્ર સરકાર દર ચાર મહિને બે હજાર જમા કરાવે છે અને ગુજરાતમાં 53.48 લાખ ખેડૂતને કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે
અમદાવાદમાં યોજાનાર ipl 2023 ના ફાઇનલને લઇને ક્રિકેટ રસીકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્ટેડિયમમાં ટિકિટ માટે પણ પડાપડી થઈ રહી છે. ત્યારે IPLની મેચમાં ટિકિટની કાળાબજારી અટકાવવા પોલીસ પણ એલર્ટ થઈ છે. IPLની મેચની ટિકિટ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ IPLની 3થી વધુ ટીકીટ નહિ રાખી શકે તેવો ઉલ્લેખ કરાયો છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત અનુસાર નિયત કિંમત કરતા વધુ દરથી ટિકિટ વેચતા શખ્સો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ 28 મે સુધી અમલમાં રહેશે. મહત્વનું છે કે ટિકિટની માંગને લઈને કાળા બજારીનું દુષણ ન વકરે તે માટે પોલીસ સાબદી બની છે. જેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
IPLની મેચમાં ટિકિટની કાળાબજારી અટકાવવા પોલીસ અલર્ટ, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, કોઈ પણ વ્યક્તિ IPLની 3થી વધુ નહી રાખી શકે ટિકિટ, નિયત કિંમત કરતા વધુ દરથી ટિકિટ વેચતા શખ્સો સામે થશે કાર્યવાહી, 28 મે સુધી અમલમાં રહેશે જાહેરનામું#IPL2023#Ahmedabad#vtvgujaratipic.twitter.com/zNKqNk0wch
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2023
ગુજરાત પધારેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તેઓના ચાહકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતના આંગણે દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તો બીજી બાજુ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રોકાણ વ્યવસ્થા હાલ ભારે ચર્ચામાં આવી છે. કારણ કે ફાઈવ સ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવી સુવિધા અને સ્વર્ગ સમાન નજારા જેવા અદ્દભુત ફાર્મ હાઉસમાં તેઓને ઉતારો આપવામાં આવ્યો છે.સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રોકાણ કરી રહ્યાં છે જેનું નામ છે ગોપીન ફાર્મ છે. આ ફાર્મ હાઉસ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે જે અબ્રામા ખાતે આવેલું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર પહેલા આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. ત્યારે આ ગોપીન ફાર્મ હાઉસ ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે તેવું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2023
વિશ્વમાં ફરીએકવાર ભારતનો ડંગો વાગવા જઇ રહ્યો છે. આઝાદી બાદ પ્રથમવાર નવનિર્મિત સંસદ ભવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એટલે કે, 27 મી મેથી બે દિવસ દિલ્હીના પ્રવાસે જવાના છે. જેના ભાગરૂપે દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં પણ હાજર રહેશે. તો દેશના વિકાસ માટે ખુબ જ અગત્યની ગણાતી નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. જો કે બે દિવસના દિલ્હીના પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાબેતા મુજબ ગાંધીનગર ખાતે મુલાકાતીઓને મળશે. 27મી મેના રોજ દિલ્હી ખાતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 8મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. જેમાં તેઓ ગુજરાતની વિકાસગાથા અંગે મંત્રણા પણ કરશે. ઉલ્લેખનીય છે કે નીતિ આયોગની આ બેઠકમાં દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર્સ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના મંત્રીઓ પણ હાજર રહેશે. ત્યારબાદ 28મી મેના રોજ રવિવારે દિલ્હીમાં આકાર પામેલા ભવ્ય સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપશે.
યોગ ગુરૂ સ્વામી રામદેવે એક વખત ફરી જનસંખ્યા નિયંત્રણ પર કાયદો બનાવવાની વાત કહી છે. તેમણે કહ્યું કે દેશમાં જનસંખ્યા નિયંત્રણનો કાયદો બનવો જોઈએ. રામજેવે કહ્યું કે દેશની જનસંખ્યા દેશની હાલની સ્થિતિથી ખૂબ જ ગંભીર છે. માટે દેશની સંસદમાં જનસંખ્યા નિયંત્રણને લઈને કાયદો બનવો ખૂબ જ જરૂરી છે. યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે 140 કરોડની આબાદી થઈ ગઈ છે અને દેશ તેનાથી વધારે બોજો સહન નહીં કરી શકે. તેમણે કહ્યું, "અમે આટલા જ લોકોને રેલવે, એરપોર્ટ, કોલેજ યુનિવર્સિટી, રોજગાર આપી શકીએ તો તેજ સારૂ છે. દેશની સંસદમાં જનસંખ્યા નિયંત્રણનો કાયદો પણ બનવો જોઈએ ત્યારે જ આપણે દેશના સંસાધનોનો યોગ્ય રીતે દોહન કરી શકીશું. દેશના ઉપર વધારે બોજો ન હોવો જોઈએ."ઉત્તરાખંડને પહેલી વંદે ભારત એક્સપ્રેસ મળવા પર પીએમ મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનતા સ્વામી રામદેવે કહ્યું, "હરિદ્વાર ઉત્તરાખંડ માટે ખૂબ જ ગર્વની વાત છે દિલ્હી-દેહરાદૂન રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ રહી છે. પ્રધાનમંત્રીજીએ એક ખૂબ મોટી ભેટ આપી છે દેવભુમિને, તેના માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ."
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે AAPના નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડના આધારે 42 દિવસની જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈનની EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે 360 દિવસ પછી તેને જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનને ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા હતા અણએ તેઓ પડી ગયા હતા, જે બાયડ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એમને ડીડીયુ હોસ્પિટલમાંથી દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં એમને ઑક્સીજન પર રાખવામાં આવ્યા હતા.સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે જે વ્યક્તિ જનતાને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી, આજે તે સારા વ્યક્તિને એક તાનાશાહ મારી રહ્યો છે. તે તાનાશાહનો એક જ વિચાર છે - દરેકને સમાપ્ત કરવા માટે, તે ફક્ત "હું" માં જ રહે છે. તે ફક્ત પોતાને જોવા માંગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે, તે બધા સાથે ન્યાય કરશે. સત્યેન્દ્ર જીના ઝડપથી સાજા થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્તિ આપે.
મધ્યપ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લઈ આવેલા ચિત્તાઓમાંથી અત્યારસુધી 6નું મોત થઈ ચૂક્યું છે. ગઈકાલે સ્વાસ્થ્ય ખરાબ થતાં 2 બચ્ચાઓનું મૃત્યુ નોંધાયું છે. આ ઘટના પર કેન્દ્ર સરકાર હવે જાગી છે. ભારત સરકારે ચિત્તાનાં પુન:પ્રવેશ પ્રોગ્રામની દેખરેખ માટે 11 સદસ્યોની એક ઉચ્ચ સ્તરીય સંચાલન સમિતિનું ગઠન કર્યું છે.કેન્દ્ર સરકારે ગુરુવારે ગ્લોબલ ટાઈગર ફોરમનાં મહાસચિવ રાજેશ ગોપાલની અધ્યક્ષતાવાળી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ ઈકો ટૂરિઝમ માટે ચિત્તાઓના નિવાસસ્થાન ખોલવા અંગે પણ કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ પેનલ 2 વર્ષ માટે કાર્યરત રહેશે અને દર મહિને ઓછામાં ઓછી એક બેઠક યોજશે. સમિતિ સામુદાયિક ઈંટરફેસ અને યોજનાની ગતિવિધિઓમાં તેમની ભાગેદારી અંગે ચર્ચા કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં 3 વયસ્ક ચિત્તાઓ અને નામ્બિયાની માદા ચિત્તા સિયાસાથી પેદા થયેલા 4 બચ્ચાઓમાંથી 3નું મોત થયું છે. કેટલાક વિશેષજ્ઞો તેમના મૃત્યુ પાછળ આવાસ અને વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ પર સવાલો ઊઠાવી રહ્યાં છે.
Centre has set up 11-member high-level steering committee to review & monitor progress of cheetah reintroduction programme and provide suggestions on opening of cheetah habitat for eco-tourism: National Tiger Conservation Authority memo
IPL 2023 મા આજે અમદાવાદમાં સેમિફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાયો હતો. બીજી ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરી ગુજરાત ટાઈટન્સે રનો ખડકલો કર્યો હતો. જ્યા પહોંચતા મુંબઈને મોઢે ફિણ આવી ગયા હતા અને ગુજરાતે જીત પોતાને નામ કરી હતી. ગુજરાતે 62 રન સાથે જબરદસ્ત જીત હાંસલ કરી ફાઇનલમાં પોતાની સીટ પાકી કરી લીધી હતી. મુંબઈને 234 નો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શુભમન ગિલે રીતસરની તોફાની બેટિંગ કરી 49 બોલમાં તોફાની સદી ફટકારી જેટલા રનનો પહાડ સર્જ્યો હતો. ગિલની આ સદી મુંબઈ ઇન્ડિયન્સને ભારે પાડી હતી. 31 રન પર ડેવિડે તેનો કેચ છોડ્યો હતો. આ જીવનદાન બાદ ગિલ પુરી રીતે ખીલ્યો હતો અને શુભમને સુરાતન સાથે ચોગ્ગા છગ્ગા ફટકારી 60બોલમાં 129 રન બનાવ્યાં હતા. જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ છે.શુભમન ગિલે તોફાની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સને બેહાલ કરી મૂક્યાં હતા.