2019 લોકસભા ચૂંટણી પહેલા દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલે ચકચકાટ વાયદાનો સિલસિલો શરૂ કર્યો છે. એક કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પહોંચેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્લીની તમામ ગેરકાયદે કોલોનીઓને લંડન-પેરિસ જેવું બનાવાશે.
એક દુઃખદ વાત છે કે દેશની રાજધાનીમાં આઝાદીના 70 વર્ષ બાદ પણ ગેરકાયદે કોલોનીઓ અને નાળાઓ છે. પરંતુ ત્રણ વર્ષમાં અમે જેટલી કોલોનીઓ અને નાળા બનાવ્યા તેટલો વિકાસ 70 વર્ષમાં નહીં થયો હોય.
જેથી આમ આદમી પાર્ટીની સરકારની સફળતાની પૂરી દુનિયામાં પ્રસંશા થઈ રહી છે. પંદર વર્ષમાં શીલા દિક્ષિતે કંઈ નથી કર્યું પણ આમ આદમી પાર્ટીની સરકારે ત્રણ વર્ષમાં 430 કોલોનીઓમાં પાણી પહોંચાડ્યું છે.
તો મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે મોદીજીએ ગેરકાયદે કોલોનીઓના કામકાજ કેમ રોકવા માગે છે? મોદીજી વિદેશ ફરીને આવે છે અને કહે છે કે દિલ્લીને લંડન બનાવીશું કારણકે ગેરકાયદેસર બનેલી કોલોનીઓ ગંદકી ફેલાવે છે.
કેન્દ્ર સરકારે દિલ્લીના તમામ ગેરકાયદે કોલોનીઓ અને ઝૂપડપટ્ટી તોડવાનો પ્લાન બનાવ્યો છે. પરંતુ હજુ સુધી કેજરીવાલ જિવીત છે કંઈ નહીં થવા દઉ.