ભાજપે રાજ્યપાલને કહ્યું છે કે વિધાનસભામાં એકલા સરકાર બનાવવા માટે તેમની પાસે પૂરતી સંખ્યા નથી અને આવી સ્થિતિમાં પાર્ટી એકલા સરકારની રચના કરી શકે નહીં. રાજ્યપાલે શનિવારે ભાજપને સરકાર બનાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ આજે ફડણવીસ સહિતના મોટા નેતાઓ રાજ્યપાલને મળવા આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ
રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવા અસમર્થ હોવાની કરી વાત
બીજેપીએ કહ્યું કે લોકોએ મહાગઠબંધનને બહુમતી આપી છે પરંતુ શિવસેના સરકાર બનાવવા માટે સહકાર આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં, અમે રાજ્યપાલને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકલા ભાજપ સરકાર નહીં બનાવી શકે.
Maharashtra BJP President, Chandrakant Patil after meeting Governor Bhagat Singh Koshyari: We will not form government in the state. pic.twitter.com/Bg3zrAwZzU
મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે. વિનોદ તાવડે, પંકજા મુંડે અને ચંદ્રકાંત પાટિલ પણ તેમની સાથે રાજભવનની મુલાકાતે ગયા છે.
ઉદ્ધવ ઠાકરેનું ભાજપને સરકાર બનાવવાનું આપ્યું છે અલ્ટીમેટમ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આજે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. ત્યારબાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,50-50 ટકાની ફોર્મ્યુલાની વાત ભાજપ સાથે કરવામાં આવી જ છે.
Chandrakant Patil, Maharashtra BJP President: The mandate was given to us (BJP-Shiv Sena) to work together if Shiv Sena wants to disrespect it and form govt with Congress-NCP then all our best wishes are with them. pic.twitter.com/3vFUsunqlw
દેવેન્દ્ર ફડણવીસ બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું બાળાસાહેબની જેમ સત્યની સાથે ઉભો છું. હું જુઠ્ઠાણાના આરોપોનો સામનો કરી રહ્યો છું. અમિત શાહ વાત કરવા મુંબઈ આવ્યા હતા. મેં અમિત શાહ સાથે સીએમ પદ વિશે સ્પષ્ટ રીતે વાત કરી. બધાં જાણે છે કે કોણ જૂઠું બોલે છે.