ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. લોકો ઘરમાં મંદિર બનાવે છે સવાર-સાંજ દિવો કરે છે જેથી ભગવાનની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય. આપણી પૂજા-પાઠથી ભગવાન પ્રસન્ન છે કે નહી તે વાતના સંકેત દૈનિક જીવનમાં મળી જાય છે. આવા જ કેટલાક સંકેતો વિશે અમે તમને આજે જણાવીશું...
સપનામાં દેખાય છે ભગવાન:
જો કોઇના સપનામાં વારંવાર ભગવાનની મૂર્તિ ફોટો કે મંદિર દેખાય તો સમજી લેવું જોઇએ કે દેવી-દેવતાઓ તેમના પર મહેબાન છે.
મળશે સફળતા અને દૂર થશે મુશ્કેલીઓ:
જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેમના ઓછી મહેનતમાં પણ સફળતા મળી જાય છે ભગવાન પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે.
પૂર્વભાસ થાય છે:
જે લોકો પર દૈવીય શક્તિઓ મહેરબાન રહે છે તેમને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત મળવા લાગે છે. એવા લોકોને સરળતાથી સમજી શકે છે કે ભવિષ્યમાં શુભ થશે કે અશુભ..
વ્યકિત હંમેશા પ્રસન્ન રહે છે:
જે લોકો પર દેવી શક્તિઓની કૃપા રહે છે તેઓ તમામ પરિસ્થિતિમાં ખુશ રહે છે. જીવનમાં સુખ હોય કે દુ:ખ એવા લોકો હંમેશા ખુશ રહે છે. કોઇ વાતનો ડર લાગતો નથી. પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં ગમે એટલી મુશ્કેલીઓ આવે તેવો સરળતાથી પાર કરી લે છે.
તમામ જગ્યાઓ પર મળે છે સન્માન:
ભગવાનના ભક્ત ભલે અમિર હોય કે પછી ગરીબ તેઓને તમામ જગ્યા પર સન્માન મળે છે. જો કોઇ વ્યકિતને સમાજમાં ખાસ જગ્યા મળે છે તો તેના પર પણ ભગવાનની સતત કૃપા હોય છે.