વર્લ્ડકપની સૌથી મોટી મેચ માટે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન બંને તૈયાર છે. આ મેચ 16 જૂન રવિવારે મૈનચેસ્ટરના ઑલ્ટ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાશે.
આ હાઇ વૉલ્ટેજ મેચ પહેલા PCBના ચીફ અહસાન મનીએ એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ''તેમની ટીમ ભારતની સામે પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવા માટે ભીખ નહી માંગે. પાકિસ્તાન ભારતની સાથે ક્રિકેટ સીરિઝને એક સભ્ય અને ગરિમાપૂર્ણ રીતે શરૂ કરવા ઇચ્છે છે''
અહસાન મનીએ ગદ્દાકી સ્ટેડિયમાં ખાતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, ''અમે પાકિસ્તાનની સાથે રમવા માટે ભારત અથવા તો બીજા દેશ પાસે ભીખ નહી માંગીએ. પાકિસ્તાન ક્રિકેટ સીરિઝને એક સભ્ય અને ગરિમાપૂર્ણ રીતે શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે.'' ભારત અને પાકિસ્તાને જાન્યુઆરી 2013 પછી કોઇ સીરિઝ રમી નથી. જોકે ICCની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઇ છે.
આ સાથે તેમણે આગળ કહ્યુ કે, ''પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ આ નવેમ્બરમાં ભારતમાં થનારી ICC મહિલા ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ટીમની ભાગ લેવાની તેમણે સમજવામાં મદદ કરશે કે શું બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ક્રિકેટ સંબંધ જલ્દીથી શરૂ થઇ શકશે કે નહી.''
PCBના ચીફે આગળ કહ્યુ કે, PCB પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ ફરી શરૂ કરવા માટે પ્લાન બનાવી રહી છે. સપ્ટેમ્બરમાં શ્રીલંકા ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ મેચ માટે સીરિઝ રમવા માટે પાકિસ્તાન પ્રવાસે આવશે, જે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ હશે. આ ચેમ્પિયનશિપ 2 વર્ષ ચાલશે અને વર્ષ 2021માં ખત્મ થશે. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં પાકિસ્તાન શ્રીલંકાની સાથે 2 ટેસ્ટ મેચની સીરિઝની યોજશે. જે પછી અમારી ટીમ ઓક્ટોબર/નવેમ્બરમાં ચેમ્પિયિનશિપની 2 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ આ વર્ષે ડિમેમ્બરમાં પાકિસ્તાનમાં ક્રિકેટ સીરિઝ રમશે. જેમાં 3 વનડે અને 3 T-20 મેચ હશે. ક્રિકેટ બોર્ડ વિદેશી ટીમને પાકિસ્તાન આવવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે,આ માટે તેઓ ICCના પોતાના અનુભવ અને અલગ-અલગ ક્રિકેટ બોર્ડની સાથે પોતાના વ્યકિતગત સંબંધોનો ઉપયોગ કરી રહ્યુ છે.