રાજકોટમાં 21 કરોડના ખર્ચે તૈયાર થયેલ આમ્રપાલી બ્રીજની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હજુ તો ગયા વર્ષે આ બ્રીજનું લોકાર્પણ થયું અને સામાન્ય વરસાદમાંજ બ્રીજની દિવાલમાંથી પાણી વહેવા લાગ્યું છે
આમ્રપાલી બ્રીજની નબળી કામગીરી સામે આવી
સામાન્ય વરસાદમાંજ બ્રીજની દિવાલમાંથી પાણી વહેવા લાગ્યું
ગત વર્ષે 21 કરોડના ખર્ચે બ્રીજ તૈયાર થયો હતો
રાજકોટમાં ગત વર્ષે 21 કરોડના ખર્ચે આમ્રપાલી બ્રીજ બનાવામાં આવ્યો હતો. પરંતું હવે આ બ્રીજના ક્નસ્ટ્રકશન પાછળ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. જેના કારણે ઘણા સવાલો ઉભા થયા છે. સામાન્ય વરસાદ પડતાજ 21 કરોડના ખર્ચે જે બ્રીજ બન્યો છે. તે બ્રીજની દિવાલોમાંથી પાણી વહેવા લાગ્યું છે.
સામાન્ય વરસાદમાં દિવાલમાંથી પાણી નીકળવા લાગ્યું
આમ્રપાલી અન્ડરબ્રિજની નબળી કામગીરીએ બધીજ પોલ ખોલી કાઢી છે. વહીવટી તંત્ર દ્વારા પણ હજુ સુધી આ મામલે કોઈ પણ જવાબ આપવામાં આવ્યો. સૌથી મહત્વની વાત તો એ છે કે માત્ર સામાન્ય વરસાદમાં બ્રિજની દીવાલોમાંથી પાણી વહેવા લાગ્યું છે. તો ભારે વરસાદ પડ્યા બાદ શું પરિસ્થિતી સર્જાઈ શકે તેની કલ્પના કરી શકાય છે.
પ્રજાના પૈસાનું પાણી
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ બ્રિજ ગત વર્ષે બનાવામાં આવ્યો હતો. બ્રીજ બને હજું એક વર્ષ પણ નથી થયું ત્યારે બ્રિજની દિવાલોમાંથી પાણી વહેવાનું શરૂ થઈ ગયું છે. જેથી લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે વહીવટી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો અંત ક્યારે થશે. અને પ્રજાના પૈસા ક્યા સુધી રીતે વેડફાતા રહેશે.
જવાબદારો સામે પગલા લેવામાં આવે
બ્રીજની આવી હાલત જોઈને ખાસ તો લોકોએ એ સવાલો કર્યા છે કે પ્રજાના રૂપિયા ક્યાં સુધી વેડફાતા રહેશે. સાથેજ લોકોએ એવા પણ સવાલો કર્યા છે કે બ્રિજના કામમાં કેટલા લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે. જેથી લોકોની છે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં આવે.
અનેક જિલ્લાઓમાં રસ્તા ધોવાયા
ઉલ્લેખનીય છે રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટા ભાગના જિલ્લાઓમાં રસ્તા ધોવાઈ ગયા છે. સાથેજ અમુક જગ્યાએ તો રોડ પર મસ મોટા ભુવાઓ પણ જોવા મળ્યા છે. તંત્રની આ ભારે બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથેજ લોકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.