ગુજરાતમાં પાણીની સ્થિતિ અતિ ગંભીર બની છે. નર્મદાને બાદ કરતા મોટા ભાગના ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટીમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. ચરોતરને બાદ કરતા ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની છે.
સૌરાષ્ટ્રના ડેમમાં માત્ર 10 ટકા, કચ્છના ડેમમાં માત્ર 13 ટકા જ પાણી બચ્યું છે. ઉત્તર ગુજરાતના ડેમમાં માત્ર 16 ટકા જ પાણી બચ્યું છે. સાઉથ ગુજરાતના ડેમમાં માત્ર 22 ટકા જ પાણી બચ્યું છે. નર્મદા ડેમમાં કુલ પાણીમાંથી 50 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. મધ્ય ગુજરાતના ચરોતરમાં પાણીની સ્થિતિ થોડા અંશે સારી છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, બોટાદ, દ્વારકાના તમામ ડેમ તળિયા ઝાટક થયા છે. અમરેલીના ડેમમાં 6 ટકા પાણી, ભાવનગરમાં 7 ટકા પાણી બચ્યું છે. જૂનાગઢમાં 8 ટકા અને રાજકોટના ડેમમાં માત્ર 9 ટકા જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 20 ટકા પાણીનો જથ્થો ગીર સોમાનાથ જિલ્લામાં છે. નવસારી, તાપી અને વલસાડના ડેમમાં 12 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. છોટાઉદેપુરમાં 6 ટકા અને દાહોદમાં 17 ટકા પાણીનો જથ્થો છે. બનાસકાઠામાં માત્ર 4 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. કુવાના તળ ઊંડા જતા ગામડામાં લોકોએ કિલોમીટર સુધી ચલવું પડે છે. ગુજરાતમાં પંચમહાલ-મહિસાગર જિલ્લાના ડેમમાં જ વધુ પાણી રહ્યું છે. કડાણા અને પાનમ ડેમમાં 53 ટકા પાણી બચ્યું છે. દાંતિવાડા ડેમમાં માત્ર 7 ટકા જ પાણી બચ્યું છે. ભાદરમાં 7 ટકા અને સીપુમાં 9 ટકા જ પાણી બચ્યું છે. જામનગરનો ઊમડ ડેમ તળિયા ઝાટક બન્યો છે. મચ્છુ ડેમમાં માત્ર 16 ટકા સુખીમાં 12 ટકા શેત્રુંજીમાં માત્ર 13 ટકા જ પાણી બચ્યું છે.
સૌરાષ્ટ્ર કચ્છના નાના ડેમ સુકાભટ બન્યા છે. ઉનાળામા ગંભીર પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના છે. પાણીની સ્થિતિ ગંભીર બનતા રાજ્યમાં અનેક જગ્યાએ ટેન્કર શરુ થયા છે. આદિવાસી પટ્ટીમાં લોકોએ બે-બે કિલોમીટર સુધી ચલીને પાણી ભરવા જવું પડે છે.