પાટણ જિલ્લામાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. ત્યાં એક ગામમાં આખું વર્ષ સુકુંભટ રહેલું તળાવ અચાનક છલકાઈ ગયું.
જશોમાવ ગામના તળાવમાં સ્વયંભુ પ્રગટ્યું પાણી
વર્ષોથી અહીં પાણી માટે લોકો હતા પરેશાન
તળાવ છલકાંતા લોકો માને છે ચમત્કાર
અત્યાર સુધી કોઈને કોઈ રૂપે ભગવાન પ્રગટ્યા હોય તેવું સાંભળ્યું છે. પરંતુ નિર્જળ રણમાં મીઠું પાણી પ્રગટ્યું હોય તેવું સાંભળ્યું છે.? નહીં સાંભળ્યું હોય. પરંતુ આવો જ ચમત્કાર ગુજરાતમાં પાટણ જિલ્લામાં થયો છે.
જશોમાવ ગામ ભરઉનાળે બન્યું પાણીદાર
આ કળિયુગના સમયમાં ચમત્કાર થયો હોવાની ઘટનાઓ તો ભાગ્યે જ સાંભળવા મળતી હશે. પરંતુ પાટણ જિલ્લાના જશોમાવ ગામે આ કળિયુગની કાળઝાળ ગરમીમાં પણ ચમત્કાર થયો છે. અને તે ચમત્કાર આ નજરોની સામે છલકાઈ ગયેલું તળાવ છે.આ રણેલા તળાવ આમ તો આખું વર્ષ સુકુ ભટ્ટ હતું. પરંતુ અચાનક જ જમીનમાંથી કુદરતી નીર નિકળ્યા. અને જોત-જોતામાં મીઠાપાણીથી સુકુભટ્ટ તળાવ છલકાઈ ગયું છે. જેના કારણે જશોમાવ ગામના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે, જ્યાં પાણી માટે લોકો રઝળપાટ કરતા હતા. ત્યાં જાણે જમીનમાંથી ગંગાજી પ્રગટ્યા છે.
તળાવ છલકાંતા લોકો માને છે ચમત્કાર
એક તરફ રાજ્યભરમાં અને પાટણ જિલ્લામાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ઓછા વરસાદના કારણે પાટણ જિલ્લાના જળાશયો ખાલીખમ છે. તેવા સમયે સુકું ભટ્ટ પડેલું તળાવ અચાનક છલકાઈ જાય તે વાત માન્યામાં ન આવે. ત્યારે અમારી ટીમ પણ આ તળાવની મુલાકાતે પહોંચી હતી. અને આસપાસના વિસ્તારમાંથી કોઈ અન્ય રીતે પાણી નથી આવ્યું ને. તેની જાત તપાસ કરી. તો જાણવા મળ્યું કે, ક્યાંયથી પણ અહીં પાણી આવે તેવું શક્ય જ નથી. પાણી જમીનમાંથી જ બહાર આવ્યું છે. એટલું જ નહીં ગામલોકો તો પાણીને પ્રસાદ રૂપે માથે ચડાવી રહ્યા છે.
આશિર્વાદરૂપ સાબિત થશે આ પાણી
એક તરફ ઉત્તર ગુજરાતમાં ખાલી તળાવોને ભરવા માટે અનેક ગામડાઓમાં લોકો વિરોધ આંદોલનો ચલાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ જશોમાવ ગામમાં કુદરતી રીતે પાણી પ્રગટ થતાં માનવજાત અને પશુ-પક્ષીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે.