બોલિવૂડ એક્ટર અજય દેવગન(Ajay Devgn) ટૂંક સમયમાં ફિલ્મ 'તનાજી: ધ અનસંગ વોરિયર'માં જોવા મળશે. આ ફિલ્મ બોલીવુડમાં અજય દેવગણની કારકિર્દીની 100 મી ફિલ્મ બનવા જઈ રહી છે.
ફિલ્મ 'તનાજી: ધ અનસંગ વોરિયર' નું ટીઝર રિલીઝ
સિંહગઢના યુદ્ધ પર આધારિત છે ફિલ્મની પટકથા
અજય દેવગણની 100 મી ફિલ્મ
તો અજય દેવગણના દરેક ફેન આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 19 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા થોડા સમય પહેલા અજય દેવગણ દ્વારા જોરદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ટીઝર સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ફક્ત થોડીવારમાં, આ ટીઝર યુટ્યુબ પર લગભગ 35 હજાર વખત જોવામાં આવ્યું છે. 12 સેકન્ડના આ ટીઝરમાં કોઈનો ચહેરો દેખાઈ રહ્યો નથી. પરંતુ તે પછી પણ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વાયરલ થયો સૈફ અલી ખાનનો લૂક
જો કે, ભૂતકાળથી, અજય દેવગણ તેની ફિલ્મના દરેક પાત્રને દર્શકો સાથે રજૂ કરવામાં વ્યસ્ત છે. ભૂતકાળમાં ફિલ્મમાંથી સૈફ અલી ખાનનો લૂક પણ બહાર આવ્યો હતો, જે એકદમ વાયરલ થયો હતો.
10 જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે
તાનાજી : ધ અનસં વોરિયર ની સાથે અજય પોતાની અભિનેત્રી પત્ની કોજોલ સાથે કામ કરતા નજર આવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન, શરદ કેલકર અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ છે. ઐતિહાસિક ઘટનાઓ પર બનેલી આ ફિલ્મ આગામી વર્ષે 10 જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.
સિંહગઢના યુદ્ધ પર આધારિત છે ફિલ્મની પટકથા
આપને જણાવી દઈએ કે 'તનાજી: ધ અનસંગ વોરિયર' ની વાર્તા સિંહગઢના યુદ્ધ પર આધારિત છે, જેમાં કોંડાના કિલ્લાને મોગલોથી બચાવવા માટે તનાજી ખુબ બહાદુરીથી માર્યા ગયા હતા. એક મુલાકાત દરમિયાન સૈફે કહ્યું છે કે તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે, જેમાં ઘણાં તલવાર બાજી સિક્વન્સ પણ છે. ફિલ્મના પરાકાષ્ઠામાં દર્શકો અજય દેવગન અને સૈફ વચ્ચેની શક્તિશાળી તલવારબાજીનો આનંદ માણી શકશે.