બુધ મીન રાશિમાં પ્રેવશ કરવા જઈ રહ્યો છે. આ ગોચર ઘણી રાશિના લોકોના જીવનમાં ઉથલ પાથલ કરી શકે છે. જાણો તેનાથી કયા ઉપાયથી મળશે રાહત
બુધનું મીન રાશિમાં પ્રવેશ
ગોચરથી આ રાશિને થશે ભારે નુકસાન
જાણો તેના માટેના ઉપાય
નવ ગ્રહોમાં બુધને રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. ત્યાં જ બુધની ઉચ્ચ રાશિ પણ જ્યારે મીન તેની નીચ રાશિ છે. બુધ દેવને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ત્યાં જ બુધવારનો દિવસ તેમને સમર્પિત છે.
બુધ વ્યક્તિને બુદ્ધિ અને સમૃદ્ધિ આપે છે. બુધ 16 માર્ચે પોતાની નીચી રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મીન બુધની નીચી રાશિ છે એવામાં આ રાશિમાં બુધનું ગોચર ઘણી રાશિઓનું કામ બગાડી શકે છે.
આ ગોચરથી ઘણી રાશિને થઈ શકે છે નુકસાન
ઘણી રાશિઓના જાતક આ ગોચર વખતે પોતાની વાણી પર નિયંત્રણ ખોઈ બેસે છે. વાદ વિવાદની સ્થિતિ ઉત્પન્ન થશે. લોકોને બિઝનેસમાં નુકસાન થવાના આસાર રહેશે. જાણો બુધ ગોચરથી કઈ રાશિને થશે નુકસાન અને શું કરશો તેનો ઉપાય.
મેષ
બુધનું ગોચર તમારી રાશિની મુશ્કેલીઓને વધારી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે પોતાની વાળી પર નિયંત્રણ રાખો. કંઈ પણ સમજી વિચારીને બોલો નહીં તો નુકસાન થઈ શકે છે.
તમને આલોચનાઓનો સામનો કરવો પડી શકે છે. તમારો સ્વભાવ આ સમયે આક્રામક અને આવેગી થઈ શકે છે. સ્વાસ્થ્યનું પણ તમને ખાસ ધ્યાન રાખવું પડશે.
વૃષભ
બુધનું ગોચર તમારી આર્થિક સ્થિતિ માટે યોગ્ય નથી. તમને આ સમયે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું રહેશે. વાત કરતી વખતે ખાસ ધ્યાન રાખો, આર્થિક નુકસાન થશે. રોકાણથી બચો.
મિથુન
આ ગોચર વખત તમને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કામનો બોજો ખૂબ વધારે વધશે. કોઈ પણ કારણે તમે પોતાના પરિવાર માટે સમય નહીં કાઢી શકો. તમને સલાહ આપવામાં આવે છે કે તમે પોઝિટિવ રહો અને ધૈર્ય બનાવી રાખો. તમને આ સમયગાળામાં ઈચ્છા અનુસાર પરિણામ નહીં મળે.
સિંહ
આ રાશિના લોકોને પણ બુધના ગોચરથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડવાના પણ અણસાર છે. એવામાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં ગેરસમજ ઉભી થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં ફ્રોડનો શિકાર થઈ શકો છો.
કન્યા
શુક્રનું નીચ રાશિમાં ગોચર તમારા બિઝનેસમાં નુકસાન પહોંચાડી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પાર્ટનરશિપના કામમાં તમને નુકસાનની સંભાવના છે એવામાં સાવધાની રાખો. જીવનસાથીની સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચો.
બુધના મીન રાશિમાં ગોચર વખતે કરો આ ઉપાય
બુધવારના દિવસે બુધ ગ્રહની પૂજા કરો અને તેના મંત્રોનો જાપ કરો. બુધનો પ્રભાવશાળી મંત્ર છે. 'ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नम:' કિન્નરોનો આશીર્વાદ લો. દરરોજ ભોજન કરતા પહેલા ગાયને ઘાસ ખવડાવો સાથે જ પર્શિઓને પલાળેલા લીલા ચણા ખવડાવો.