રામ મંદિર નિર્માણને માટે સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ રામ જન્મભૂમિ ન્યાસને લઈને પ્રમુખ નવા ટ્રસ્ટના પક્ષમાં નથી. જ્યારે અન્ય અખાડા નવા ટ્રસ્ટની વકાલત કરી રહ્યા છે.
ટ્રસ્ટ બનાવવાને લઈને વિવાદ
રામ જન્મભૂમિ ન્યાસને લઈને પ્રમુખ નવા ટ્રસ્ટના પક્ષમાં નથી
અખાડા કરી રહ્યા છે નવા ટ્રસ્ટની વકાલત
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ સ્થળને રામ મંદિર નિર્માણને માટે કેન્દ્ર દ્વારા બનાવેલા એક ટ્રસ્ટને ટ્રાન્ફર કરવાના નિર્ણયને લઈને બે દિવસ બાદ તેના સ્વરૂપને લઈને દલીલો કરવામાં આવી રહી છે. 1990ના દશકમાં મંદિર આંદોલનના પ્રમુખ ચહેરામાં નામી અને રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે સોમવારે જણાવ્યું હતું કે નવું ટ્રસ્ટ બનાવવાની જરૂર નથી. કેમકે રામ મંદિરના નિર્માણને માટે 'ન્યાસ'ને એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. નિર્મોહી અખાડા જેવા અન્ય લોકો આ કામને પૂરું કરવા માટે તેમાં સામેલ થાય તે શક્ય છે.
અખાડાના મહંતે કહી આ વાત
નિર્મોહી અખાડાના મહંત દિનેદ્ર દાસ આ વાત સાથે સહમત નથી. તેઓ કહે છે કે અમે રામ જન્મભૂમિ ન્યાસની વિરુદ્ધમાં જે છે તેની સામે લડી રહ્યા છીએ. એવામાં કોઈ વિચારી શકે કે અમે તેમના ટ્રસ્ટના સદસ્ય હોઈ શકીએ? તે પોતાના ટ્રસ્ટને સરેન્ડર કરીને અમારી સાથે ટ્રસ્ટનો ભાગ બની શકે છે. અમે નિર્મોહી છીએ અને તેમનો ક્યારેય ભાગ બની નહીં શકીએ. આ સરકારની ઉપર છે કે તે સમાધાન શોધે અને દરેકને એકસાથે લાવે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કરી હતી આ વાત
ઉલ્લેખનીય છે કે શનિવારે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ભગવાનની સેવા અને સંપત્તિના સંચાલનના અધિકારના દાવાને નકારી દીધો છે. ખંડપીઠે વિવાદિત સ્થળે નિર્મોહી અખાડાની ઐતિહાસિક હાજરી અને તેની ભૂમિકા પર ધ્યાન આપવાની સાથે કેન્દ્રને આદેશ આપ્યો છે કે ટ્રસ્ટ બનાવવાને માટે એક યોજના તૈયાર કરે અને સાથે જ અખાડાને સંચાલનમાં એક મહત્વની ભૂમિકા આપે.