કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કહ્યું કે, હું કોઈ અલ્પેશ કથિરીયાને ઓળખતો નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. પરંતુ સુરતમાં કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ ચૂકી છે. PAASના અલ્પેશ કથિરીયાએ કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. અને સુરતમાં કોંગ્રેસની જાહેર સભામાં વિરોધની ચીમકી પણ આપી દીધી છે. હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના કોઈ નેતા સુરતમાં સભા કરશે. તો તેમનો વિરોધ કરવામાં આવશે.
સમગ્ર મામલો બે ટિકિટ ન મળવા પરથી ઉઠ્યો
સુરતમાં PAAS દ્વારા બે ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે એક જ ટિકિટ આપી હતી. એક ટિકિટ પર ધાર્મિક માલવિયાએ દાવેદારી નોંધાવવાની હતી. પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિકે દાવેદારી પરત ખેંચી લીધી છે. અને PAAS દ્વારા વિરોધનો મોરચો ખોલી દેવાયો છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ અને અલ્પેશ કથિરીયા સામ-સામે
સુરતમાં PAASના નારાજ કાર્યકરો વિશે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કહ્યું કે, હું કોઈ અલ્પેશ કથિરીયાને ઓળખતો નથી. અને કોઈ પણ એવું સમજતું હોય કે, કોંગ્રેસ તેમના બળથી ચાલે છે. તો તેવી ગેરમાન્યતા દૂર કરી દેવી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહને જવાબ આપતા અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, સુરતમાં હાર્દિક પટેલ સિવાય કોઈ પણ નેતા સભા કરવા આવશે. તો તેનો વિરોધ કરવામાં આવશે.