કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ બિલને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને મોનસૂન સત્રમાં મહિલા આરક્ષણ બિલ લાવવાની માગ કરી છે. સાથે જ મહિલા આરક્ષણના મુદ્દા પર સમર્થન આપવાનો વાયદો કર્યો છે. જાણકારી પ્રમાણે એમને કહ્યું કે કોંગ્રેસ સંસદમાં મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરશે. નોંધનીય છે કે સંસદનું મોનસૂન સત્ર 18 જુલાઇથી શરૂ થઇ રહ્યું છે. આ 10 ઓગસ્ટ સુધી ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો આ પત્ર ભાજપના ટ્રિપલ તલાક બિલના જવાબમાં છે. તો બીજી બાજુ ભાજપ આ સત્રમાં ટ્રિપલ તલાક બિલ લાવવાનું વિચાર કરી રહી છે. પાર્ટી વિપક્ષી દળોથી સમર્થનની માગણી કરી રહી છે.
નોંધનીય છે કે મહિલા આરક્ષણ બિલ ખૂબ જ સમયથી લટકેલું છે. 1996માં તત્કાલીન પ્રધાનમંત્રી એચ.ડી.દેવગૌડાના કાર્યકાળમાં આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. 2010માં આ બિલ રાજ્યસભામાં પાસ થઇ ગયું. પરંતુ બાદમાં લોકસભામાં અટકી ગયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ મળવું જોઇએ. આ પહેલા સોનિયા ગાંધી પણ પત્ર લખીને આ બિલને રજૂ કરવાની વાત કહી ચુકી છે.
બીજી બાજુ તેલુગૂ દેશમ પાર્ટીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની અપીલ કરી છે. પાર્ટીના મુખિયા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવાની અપીલ કરી છે. ટીડીપીનો આરોપ છે કે મોદી સરકારે 4 વર્ષની અંદર પોતાના વચન પૂરા કર્યા નથી જેને લઇને ટીડીપી કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાન લાવશે.