દર વર્ષે નવરાત્રીમાં જાસૂસી કરતા લોકો પાસે એડવાન્સમાં 30 ટકા બૂકીંગ આવતા હતા પરંતુ આ વર્ષે તેમનો ધંધો સાવ ઠપ થયો છે.
જાસૂસોની નવરાત્રી બગડી
આવકમાં ધરખમ ઘટાડો
નવરાત્રી ન યોજાતા બન્યા બેકાર
ગુજરાતમાં નવરાત્રીનું આયોજન ન થવાના કારણે અનેક લોકોની રોજગારી પર અસર પડી છે.ત્યારે નવરાત્રીમાં જાસૂસી કરતી એજન્સીઓને પણ અસર થઈ છે. દર વર્ષે નવરાત્રીમાં જાસૂસી કરતા લોકો પાસે એડવાન્સમાં 30 ટકા બૂકીંગ આવતા હતા પરંતુ આ વર્ષે તેમનો ધંધો સાવ ઠપ થયો છે.
દર વર્ષે 80 ટકા જાસૂસીનું બૂકિંગ થતુ હોય છે
ગુજરાતમા નવરાત્રીની રમઝટ વચ્ચે જાસુસો પણ સક્રીય થઈ જતા હોય છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે જાસુસો પણ ખેલૈયાની જેમ દુખી છે. દર વર્ષે ખેલૈયાઓ ગરબાની તાલમા ઠનગને અને જાસુસો તેમની પોલ ખોલતા હોય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમા જાસુસો સક્રીય થઈ જતા હોય છે. આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રીની ઉજવણી થવાની નથી. જેના કારણે ડિટેકટીવ પણ મંદીમા છે. નવરાત્રી પહેવા 80 ટકા ઈન્કવાયરી અને 30 ટકા બુકીંગ થઈ જતુ હોય છે. પરંતુ આ વર્ષે એક ટકા પણ ઈન્કવાયરી થઈ નથી. જાસુસીના બુકીંગ પણ ઠપ છે. દરેક ધંધાની જેમ હવે જાસુસીના ધંધા પણ ઠપ થઈ ગયા છે.
નવરાત્રીમા 30 ટકા માતા-પિતા પોતાના બાળકોની જાસુસી કરાવતા હોય છે
નવરાત્રીના નવ દિવસ દરમ્યાન મા-બાપ પોતાના સંતાનો, પતિ પોતાની પત્ની અને મંગેતર પોતાની મંગેતર.. જયારે પ્રેમી પ્રેમિકા પર જાસુસી કરાવતા હતા. ગરબાની રમઝટની રાતમા પોતાની સંગની શું કરે છે.. કોઈ બીજા પ્રેમી સાથે તો નથી ફરતી તેવી શંકાથી પિડાતા પતિઓ જાસુસી કરાવી રહયા છે. જયારે મા-બાપ પણ પોતાની દિકરો કે દિકરી ખોટી સોબતમા તો નથી તેની જાણકારી માટે જાસુસી કરાવતા હતા.. દરવર્ષની વાત કરીએ તો નવરાત્રીમા 30 ટકા માતા-પિતા પોતાના બાળકોની જાસુસી કરાવતા હોય છે જયારે 70 ટકા પતિ-પત્ની પોતાના પાટનરની જાસુસી કરાવતા હોય છે.