જો દીવાલો પર ગાયનાં છાણ અને માટીનું લીંપણ કરવામાં આવે તો કેટલાંય વર્ષો સુધી ત્યાં કરોળિયાનાં જાળાં થતાં નથી. ગરોળી કે મચ્છર પણ ક્યારેય દેખાતાં નથી.
ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણનું વિશેષ મહાત્મય
દેશની પ્રાકૃતિક ઊર્જા અને પર્યાવરણનું ધ્યાન રાખવું દેશવાસીઓની છે જવાબદારી
ગાયનાં છાણાંના પ્રયોગથી વાતારણ પણ શુદ્ધ થાય
દેશની પ્રાકૃતિક ઊર્જા અને પર્યાવરણનું ધ્યાન રાખવું દેશવાસીઓની જવાબદારી છે. આ મહિને હોળીનો તહેવાર આવશે. હોળીના દિવસે એક રાત પહેલાં હોળિકા દહનની પ્રથા છે. આ વર્ષે આપણે હોળિકા દહનમાં વૃક્ષો બચાવવાની પહેલ કરવી જોઇએ. જે લોકો સનાતન ધર્મમાં માને છે તેમને સારી રીતે જાણ હશે કે સનાતન ધર્મમાં દરેક જીવાત્માનું સન્માન થાય છે. આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ. ભૂમંડળના વધતા તાપક્રમના ખતરાથી આપણે અજાણ હોતા નથી.
હિમખંડો અચાનક તૂટી રહ્યા
હિમખંડો અચાનક તૂટી રહ્યા છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. અતિશય ઠંડી કે ગરમી તેનું જ ખરાબ પરિણામ છે. વૃક્ષો બચાવીને આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે. ચાલો આપણે સંકલ્પ લઇએ કે આપણે આ વખતે ગાયનાં છાણમાંથી બનેલાં છાણાંનો જ ઉપયોગ કરીશું. લાકડાંનો પ્રયોગ બિલકુલ નહીં કરીએ, સુકાયેલી લાકડીઓનો પણ નહીં. ત્યારે જ આ ચેતના વિકસીત થશે.
ગાયનાં છાણાંના પ્રયોગથી વાતારણ પણ શુદ્ધ થાય
હવે તો ગોબર કાષ્ઠ પણ મળવા લાગ્યાં છે. જે ગોબરને એક મશીનમાં દબાવીને લાકડીના રૂપમાં તૈયાર કરાય છે. ગાયના છાણાનો ધુમાડો કરવાથી તો કીટાણુ, મચ્છર પણ ભાગી જાય છે. સનાતન ધર્મમાં યજ્ઞ રૂપી આરાધના કરવાનુ પણ પ્રચલન છે. આવા સંજોગોમાં ગાયનાં છાણાંના પ્રયોગથી વાતારણ પણ શુદ્ધ થાય છે. તેથી યજ્ઞ ઉપરાંત હવન કુંડને આખા ઘરમાં ફેરવવામાં આવે છે.
માત્ર હોળિકા દહન જ કેમ આપણે મૃતદેહના અંતિમ સંસ્કાર પણ છાણાં કે ગોબર કાષ્ઠથી કેમ ન કરી શકીએ. ઘણાં ગામમાં આજે મૃતદેહના અંતિમ સંસ્કાર છાણા પર જ થાય છે. તેનાથી ગૌધનનું મહત્ત્વ પણ વધશે અને પર્યાવરણ પણ બચશે. ગાયનાં ગોબરમાંથી માત્ર છાણાં બનતાં નથી, પરંતુ આજ કાલ ગેસ અને વીજળીની સંકટના સમયે પણ ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ લગાવાઇ રહ્યા છે. કોલસા, એલ.પી.જી., પેટ્રોલ, ડીઝલ જ્યાં મોંઘાં અને પ્રદૂષણકારી સ્ત્રોત છે ત્યાં ગાયના ગોબરમાંથી બનેલા બાયો ગેસ ક્યારેય સમાપ્ત થતા ન થનારા સ્ત્રોત છે. જ્યાં સુધી ગૌવંશ રહેશે ત્યાં સુધી આપણને ઊર્જા મળતી રહેશે.
ગોબરમાંથી પ્રતિ વર્ષ ૪૫૦૦૦ લિટર બાયો ગેસ મળે
આંકડાઓની વાત માનીએ તો એક ગાયના ગોબરમાંથી પ્રતિ વર્ષ ૪૫૦૦૦ લિટર બાયો ગેસ મળે છે. બાયો ગેસનો ઉપયોગ કરવાથી છ કરોડ ૮૦ લાખ ટન લાકડાં બચી જાય છે અને દેશનાં પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે. તેનાથી લગભગ ત્રણ કરોડ ટન ઉત્સર્જિત કાર્બનડાયોક્સાઇડને પણ રોકી શકાય છે. એટલું જ નહિ ગોબર ગેસ પ્લાન્ટથી ગેસ પ્રાપ્તિ બાદ બચેલા પદાર્થોનો ઉપયોગ ખેતી માટે જૈવિક ખાતર બનાવવામાં કરવામાં આવે છે. છાણનું ખાતર ખેતી માટે અમૃતનું કામ કરે છે. છાણનુ ખાતર સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યારે ફર્ટિલાઇઝરથી ઉત્પન્ન થયેલું અનાજ આપણી રોગપ્રતિકારક ક્ષમતાને ઘટાડે છે.
કૃષિમાં રાસાયણિક ખાતર અને કીટનાશકના બદલે ગાયના છાણનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. તેથી ઉત્પાદન પણ વધુ થાય છે. બીજી તરફ પકવવામાં આવતી સબ્જી, ફળ કે અનાજના પાકની ગુણવત્તા પણ જળવાઇ રહે છે. વૈજ્ઞાનિકોની વાત માનીએ તો ગાયનાં ગોબરમાં વિટામિન બી-૧૨ સારી એવી માત્રામાં મળી આવે છે. તે રેડિયોવિકિરણોને શોષી શકવાની પણ ક્ષમતા ધરાવે છે, તેથી આજના સમયમાં મોબાઇલ ફોનમાંથી નીકળતાં રેડિએશનથી પણ બચી શકાય છે.
જો દીવાલો પર ગાયનાં છાણ અને માટીનું લીંપણ કરવામાં આવે તો કેટલાંય વર્ષો સુધી ત્યાં કરોળિયનાં જાળાં થતાં નથી. ગરોળી કે મચ્છર પણ ક્યારેય દેખાતાં નથી. વળી સાત્વિકતાનો અહેસાસ થાય છે. ઘરની સારસંભાળ પણ આસાન થઇ જાય છે. ઇટાલીના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રોફેસર જી.ઇ.બીગેડે ગોબરના અનેક પ્રયોગો દ્વારા આ વાત સિદ્ધ કરી છે. તેમણે છાણના અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે કે ગાયના તાજેતરના ગોબરથી ટી.બી. તથા મેલેરિયાના કીટાણુ મરી જાય છે. જાપાનના લોકોએ તંદુરસ્ત રહેવા માટે ગાયનાં છાણને અપનાવ્યું છે. છાણ આપણી ત્વચાને દાદ, ખરજવું, એગ્ઝિમા અને ઘાવમાં પણ ફાયદો કરે છે. આપણે જેટલા ગૌમાતાની નિકટ રહીશું તેટલા સ્વસ્થ રહી શકીશું. તેથી આપણે આ હોળિકા દહનમાં વધુમાં વધુ છાણાં અને ગોબર કાષ્ઠનો પ્રયોગ કરવો.•