કોરોનાની મહામારીએ આ વૃદ્વૃધોની જીંદગી દોહ્યલી બનાવી છે. ડબોળાનું વૃદ્ધાશ્રમ ખાલી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કોરોનામાં વૃદ્ધોની હાલત દયનીય
ડભોળાનું વૃદ્ધાશ્રમ ખાલી કરવાની સ્થિતિ
17 જેટલા વૃદ્ધો ફરી બન્યા નિરાધાર!
હવે એક દુખદ ઘટના અંગે વાત કરવી છે. જે દરેક લોકોને સ્પર્ષનારી છે. વાત કરવી છે કોરાનાની મહામારી વચ્ચે વૃધ્ધ વડીલોની દયનીય હાલત અંગે. ગાંધીનગર જિલ્લાના ડફોળાના વૃધ્ધાઆશ્રમ ખાલી કરવાની સ્થિતીને લઈને 17 જેટલા વૃધ્ધ વડીલો ફરી નિરાધાર બન્યા છે. ઘડપણમા સંતાનોએ તરછોડયા બાદ વૃધ્ધાઆશ્રમમા નવો પરિવાર મળ્યો. પરંતુ હવે આ પરિવાર પણ વિખેરાઈ જશે.. ત્યારે આ વડીલો કોઈ રાહતની આશા સેવીને બેઠા છે. ત્યારે આવો જોઈએ ઘડપણનો આધાર કેવી રીતે થયો નિરાધાર. આ અહેવાલમા.