બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB Masan Holi of Varanasi is famous in the world, know the reason

AJAB GAJAB / Video: Varanasiની મસાન હોળી છે વિશ્વમાં પ્રખ્યાત, જાણો કારણ

Megha

Last Updated: 04:25 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રંગોથી રમાતી હોળી વિશે આપણને ખબર જ છે, પણ ભારતના એક શહેરમાં સ્મશાનમાં સળગતી અને ઓલવાઈ ગયેલી ચિતાઓની રાખ સાથે હોળી રમવામાં આવે છે.

હોળીના તહેવારને "રંગોના તહેવાર" તરીકે ઓળખવામાં આવે છે અને આપણા દેશમાં, હોળીનો તહેવાર વિવિધ રાજ્યોમાં વિવિધ શૈલીમાં ઉજવવામાં આવે છે પરંતુ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં હોળી ખૂબ જ વિચિત્ર રીતે રમાય છે.  

મથુરા-વૃંદાવનની હોળી તો દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લાડુ માર, લઠ્ઠમાર અને ફૂલથી હોળી રમવામાં આવે છે પણ આ સિવાય કાશીની હોળી પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે ત્યાં મસાન હોળી ઉજવાય છે. મસાન એટલે શ્મશાન.. આ હોળી ચિતાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે.

મહાદેવની આ નગરીમાં ભોલેના ભક્તો માત્ર રંગ અને ગુલાલથી જ નહીં પણ સ્મશાનમાં સળગતી ચિતાઓની રાખથી પણ હોળી રમે છે. બાબા વિશ્વનાથની નગરી કાશીની આ મસાન હોળી ખૂબ જ પ્રખ્યાત છે. માર્નિકર્ણિકા ઘાટ પર આ મસાનની હોળી રમવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે રંગભરી એકાદશી પર ભગવાન શિવે દેવી પાર્વતી અને બીજા દેવી-દેવતાઓ સાથે હોળી રમી હતી, જેના કારણે તેઓ ભૂત-પ્રેત સાથે હોળી રમી શક્યા ન હતા એટલા માટે બીજા દિવસે ભોલેનાથે માર્નિકર્ણિકા ઘાટ પર ભૂત-પ્રેત સાથે હોળી રમી હતી.

કહેવાય છે કે શિવભક્તો મણિકર્ણિકા ઘાટ પર સ્થિત મસાનનાથ મંદિરમાં ભગવાન શિવને ભસ્મ અર્પણ કરે છે અને પછી ડમરુની ગુંજ સાથે પૂજા કરે છે. આ દરમિયાન લોકો રંગોને બદલે રાખથી હોળી રમે છે.ખાસ કરીને આ હોળીમાં અઘોરી અને સંતો ભાગ લે છે અને તેઓ એકબીજા પર ગુલાલની જેમ મસાનની રાખ લગાવે છે. આ હોળી ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. મસાન હોળીને મૃત્યુ પર વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે.

વધુ વાંચો: VIDEO: North Sentinel Islandનું રહસ્ય શું છે? અહીં વસે છે સૌથી ખતરનાક લોકો

સાથે જ આ પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે અને આ દુનિયા રાખ બની જશે. ચિતાની ભસ્મ સાથે હોળી રમીને અઘોરી કહે છે કે આ દુનિયા અને જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહેવું જોઇએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ