અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મિત્તલ અને નસરીનના મૃતદેહની અદલા-બદલી થઈ હતી. આ ઘટના બાદ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરીને લઈને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે હવે રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસના વિરૂદ્ધમાં હોસ્પિટલમાં હોબાળો કર્યો. પરિવારજનોએ હોસ્પિટલમાં પોલીસના વિરૂદ્ધમાં નારા લગાવ્યા હતા. મહત્વનુ છે કે, હાલમાં બન્ને મૃતદેહનો ફરીથી પીએમ કરવામાં આવી રહ્યો છે. આ મામલે કોની સામે ફરિયાદ કરવી તે અંગે હજી સુધી પણ પોલીસ મુંઝવણમાં છે. પોલીસ દ્વારા અત્યાર સુધી ફરિયાદ ન કરવામાં આવતા પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પરિવારજનોએ નસરીનના ગર્ભ પણ ગુમ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
પરિવારે સમગ્ર ઘટનામાં ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી
આ મામલે નસરીનના પરિવારજનોએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નસરીનના પરિવારજનોએ મૃતદેહ બદલી નાખવાને લઈને અરજી કરી હતી. આ મામલે પરિવારે ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે.
મૃતદેહ બદલવાનો મામલો શું છે ?
મિત્તલ જાદવ પર 8મીએ હુમલો થયો
મિત્તલ જાદવનું સારવાર દરમિયાન મોત થયું
પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાનો ખુલાસો
નસરીન બાનુનું પ્રસુતિ દરમિયાન મોત થયું
બંનેનું પોસ્ટમોર્ટમ VS હોસ્પિટલમાં થયું
પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહ બદલાયા
મિત્તલ નસરીનનો મૃતદેહ સોંપાયો
જ્યારે નસરીન બાનુના પરિવાજનો મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે મૃતદેહ ન મળ્યો
તપાસ બાદ ખબર પડી કે મિત્તલ જાદવનો મૃતદેહ હોસ્પિટમાં હતો
મિત્તલના પરિવારજનોને નસરીન બાનુનો મૃતદેહ આપી દેવાયો હતો
દાટેલો નસરીનનો મૃતદેહ ફરીથી બહાર કઢાયો
નસરીનનો મૃતદેહ VS હોસ્પિટલ લવાયો
બંને યુવતિના પરિવારજનોની માગ છે ફરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવાની માગ કરી