યોગિની એકાદશીને બધી એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એકાદશી જન્મ-મૃત્યુના ચક્રથી છુટકારો મેળવવાની સાથે જ જીવનના દરેક શુખ આપે છે.
યોગિની એકાદશીનું છે ખૂબ મહત્વ
જન્મ-મરણના ચક્રથી મળશે છુટકારો
જાણો તેના મહત્વ વિશે
એકાદશી વ્રત મહિનામાં બે વાર કરવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. આમાંની કેટલીક એકાદશીઓ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. યોગિની એકાદશી પણ આ વિશેષ એકાદશી ઉપવાસમાંથી એક છે. તે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર કરવામાં આવે છે.
આ વખતે આવતીકાલે એટલે કે 24 જૂન, શુક્રવારે યોગિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વર્ષે આ વ્રત વધુ ખાસ છે કારણ કે આ દિવસે કેટલાક વિશેષ યોગો બનવાના છે. આ યોગો ખૂબ જ શુભ છે જે યોગિની એકાદશી વ્રતનું મહત્વ વધારી રહ્યા છે.
યોગિની એકાદશી પર બની રહ્યા આ 3 શુભ યોગ
યોગિની એકાદશી પર એક નહીં પરંતુ 3-3 શુભ યોગો બની રહ્યા છે. 24 જૂને સુકર્મા અને ધૃતિની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક જ્યોતિષમાં સર્વાર્થ સિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ યોગમાં કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. બીજી તરફ સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવતી પૂજા અનેક ગણું વધુ ફળ આપે છે. સાથે જ સુકર્મ અને ધૃતિ યોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 3 શુભ યોગો સિવાય આ દિવસે અશ્વિની અને ભરણી નક્ષત્ર પણ રહેશે. આ બંને નક્ષત્રો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
યોગિની એકાદશી 2022 પૂજા શુભ મુહૂર્ત
24મી જૂન 2022ના રોજ આવતી યોગિની એકાદશીના દિવસે સવારે 05:24 થી 08:04 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ પછી, સવારે 11:56 થી 12:51 સુધી, પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.