ટ્રાવેલ કરવુ તમારામાંથી ઘણા લોકોનો શોખ અને સપનુ હોય છે. પરંતુ દરેક લોકો માટે આ પ્રવાસ સરળ હોય તે જરૂરી નથી.
શું પ્રવાસ દરમ્યાન તમને ઉલ્ટી અને ચક્કર જેવી સમસ્યા થાય છે?
પ્રવાસ દરમ્યાન બેગમાં રાખો આ વસ્તુ નહીં થાય સમસ્યા
તમારી પરેશાનીની સારવાર તરત થઇ શકશે અને યાત્રા યાદગાર રહેશે
પ્રવાસ દરમ્યાન બેગમાં રાખો અમુક વસ્તુઓ
પ્રવાસ દરમ્યાન બેગમાં અમુક એવી વસ્તુઓ રાખો જે ઉલ્ટી અને ચક્કર જેવી સમસ્યા દરમ્યાન તમારા કામમાં આવી શકે. જેનાથી તમારી પરેશાનીની તરત સારવાર થઇ શકશે અને યાત્રા પણ યાદગાર રહેશે.
કેળા
જો તમારું મન બેચેન થઇ રહ્યું છે તો કેળા આવશ્ય ખાઓ. જેને બેગમાં લઇ જવા પણ સરળ છે અને વોમિટિંગ સાથે જોડાયેલી પરેશાનીમાંથી છૂટકારો મળી શકે છે.
લીંબુ
લીંબુને આરોગ્યનો ખજાનો સમજવામાં આવે છે, જેનો રસ પેટની બધી પરેશાનીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. જ્યારે તમને બેચેની મહેસૂસ થાય ત્યારે લીંબુના રસને મીઠુ અને પાણીની સાથે મિક્સ કરીને પીવો. જેનાથી તાત્કાલિક રાહત મળી જશે.
આદુ
પ્રવાસ દરમ્યાન પોતાની સાથે આદુ આવશ્ય રાખો. કારણકે આ ઉલ્ટી અને ઉબકાની મુશ્કેલીમાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. તમે આદુની કેન્ડી, આદુની ચા પેક કરી શકો છો. જો આ મામલે મસાલાને ક્રશ કરતી વખતે ગરમ પાણીની સાથે પી લો તો પેટની બળતરા દૂર થઇ જશે.
પુદીના
ખાસ કરીને ગરમીની સિઝનમાં અમુક લોકો માટે પ્રવાસ પરેશાનીઓથી ભરેલો રહે છે. આવા લોકો તેમની સાથે પુદીનાના પાંદડા, મિન્ટની ગોળી અથવા તેના શરબતને જરૂર રાખો. જ્યારે પણ વાંધો મહેસુસ થાય ત્યારે તેનુ સેવન કરી લો.